- બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે
- પાર્થિવ દેહ લશ્કરી વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાની પહોંચશે
- CDS જનરલ બિપિન રાવતના પિતા લક્ષ્મણ સિંહ રાવત પણ લેફ્ટનન્ટ જનરલ રહી ચૂક્યા
નવી દિલ્હી: ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાનું બુધવારે તમિલનાડુના કુન્નૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ(Coonoor helicopter Crash) થયું છે. મળતી માહિતી મુજબ ગુરુવાર સાંજ સુધીમાં તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે દિલ્હી છાવણીમાં બંનેના અંતિમ સંસ્કાર(Bipin Rawat Cremation) કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રાવતના ગૃહ રાજ્ય ઉત્તરાખંડમાં રાજ્ય સરકારે ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે.
પાર્થિવ દેહ લશ્કરી વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાની પહોંચશે
CDS જનરલ બિપિન રાવત(general bipin rawat) અને તેમની પત્નીના પાર્થિવ દેહ ગુરુવાર સાંજ સુધીમાં લશ્કરી વિમાન દ્વારા રાષ્ટ્રીય રાજધાની પહોંચશે. શુક્રવારે પતિ-પત્નીના મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવશે અને લોકોને સવારે 11 થી 2 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. તે પછી તેમની અંતિમ યાત્રા કામરાજ માર્ગથી દિલ્હી છાવણીના બ્રાર ચૌરાહા સ્મશાન ઘાટ સુધી કાઢવામાં આવશે. તેમની નાની બહેન અને ભાઈ પણ અંતિમ સંસ્કાર માટે ત્યાં હાજર રહેશે.
3 દિવસનો રાજ્ય શોક
ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ CDSના નિધન પર રાજ્યમાં ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. CMએ કહ્યું, CDS જનરલ બિપિન રાવતના નિધન(Death of General Bipin Rawat) વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.
ઉત્તરાખંડ સાથે ઊંડો સંબંધ