ગુજરાત

gujarat

By

Published : Feb 28, 2023, 11:58 AM IST

ETV Bharat / bharat

Encounter in jammu kashmir: કાશ્મીરી પંડિત સંજય શર્માનો હત્યારો આતંકવાદી એન્કાઉન્ટરનો બન્યો નિશાન

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરા વિસ્તારમાં આજે વહેલી સવારે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આ વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

Encounter in jammu kashmir: કાશ્મીરી પંડિત સંજય શર્માનો હત્યારો આતંકવાદી એન્કાઉન્ટરનો બન્યો નિશાન
Encounter in jammu kashmir: કાશ્મીરી પંડિત સંજય શર્માનો હત્યારો આતંકવાદી એન્કાઉન્ટરનો બન્યો નિશાન

પુલવામા: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સ્થિત અવંતીપોરા વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આતંકવાદીની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી છે. માર્યો ગયો આતંકવાદી કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હતો. તે TRF માટે કામ કરતો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશનમાં લાગેલા છે. આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ ફસાયેલા છે તેની માહિતી મળી શકી નથી.

આ પણ વાંચો:Gujarat News: ગુજરાતમાં વલસાડ ફાર્મા કંપનીમાં થયા ધમાકા, 3ના મૃત્યુ, 2 ઈજાગ્રસ્ત

આતંકવાદીઓ છુપાયા હોવાની મળી બાતમી: કાશ્મીરના ADGP અનુસાર માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પુલવામાના આકિબ મુસ્તાક ભટ તરીકે થઈ છે. તેણે શરૂઆતમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠન માટે કામ કર્યું હતું, આજકાલ તે TRF સાથે કામ કરી રહ્યો હતો. તે કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હતો. કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીએ ટ્વિટ કરીને માહિતી આપતા કહ્યું કે, પુલવામા જિલ્લાના પદગામપોરા અવંતીપોરામાં એન્કાઉન્ટર થયું હતું. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. મળતી માહિતી મુજબ પદગામપોરા અવંતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

ગોળીબાર કરવામાં આવ્યો: સુરક્ષા દળો આતંકવાદીઓના છુપાયેલા સ્થાન તરફ આગળ વધી રહ્યા હતા, તે દરમિયાન તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ રીતે બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. બંને પક્ષો વચ્ચે ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આ ફાયરિંગમાં બે જવાન ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. તે જવાનોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકીની ઓળખ થઈ શકી નથી. આ વિસ્તારમાં વધુ આતંકીઓ ફસાયા છે કે, કેમ તે જાણી શકાયું નથી. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો:Ram Rahim Parole Case: પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં આજે રામ રહીમની પેરોલ મામલે સુનાવણી

વધુ એક ટાર્ગેટ કિલિંગ: જણાવી દઈએ કે, આ પહેલા રવિવારે વધુ એક ટાર્ગેટ કિલિંગમાં આતંકીઓએ કાશ્મીરી પંડિત સંજય શર્મા પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના ત્યારે થઈ જ્યારે તે પુલવામા જિલ્લાના સ્થાનિક બજારમાં જઈ રહ્યો હતો. તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ સુરક્ષાદળો વિસ્તારમાં સક્રિય થઈ ગયા અને આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

ABOUT THE AUTHOR

...view details