ગુજરાત

gujarat

જમ્મુ કાશ્મીરના સોપોર એન્કાઉંટરમાં એક આતંકી ઠાર

By

Published : Jun 21, 2022, 11:37 AM IST

જમ્મુ-કાશ્મીર સોપોરના તુલીબલ વિસ્તારમાં સુરક્ષા દળ અને (Jammu Kashmir Tulibal Area Encounter) આતંકવાદી વચ્ચે અઠડામણ થતા એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ આખા એરિયાને સીલ કરી (Encounter Tulibal Area Of Sopore) દીધું છે અને સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરના સોપોર એન્કાઉંટરમાં એક આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના સોપોર એન્કાઉંટરમાં એક આતંકી ઠાર

શ્રીનગર: બારામૂલા જિલ્લાના સોપરના તુલબીલ વિસ્તારમાં સુરક્ષા દળો (Jammu Kashmir Tulibal Area Encounter) અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતા એક આતંકવાદી માર્યો ગયો છે, સુરક્ષા દળોએ આ આખા એરિયાને સીલ કરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં (Encounter Tulibal Area Of Sopore ) આવ્યું છે.

આ પણ વાંચો:ITBP ના હિમવિરો દ્વારા 17,000 ફુટની ઉંચાઈએ યોગાસન, જૂઓ વીડિયો...

આતંકીઓએ ગોળીબાર કર્યો:મળતી માહિતી મુજબ સુરક્ષી દળોને સોપોરના (terrorists in J-K Sopore) તુલીબલમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી, જેના આધારે સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી કરીને આખા એરિયાને સીલ કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું, જ્યારે સુરક્ષા બળો સંકાસ્પદ ઠેકાણા તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જેથી સુરક્ષા બળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે અઠડામણ શરૂ થઈ ગઈ હતી. આ એન્કાઉંટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. પરંતુ હજુ સુધી આ આતંકીની ઓળખાણ થઈ શકી નથી.

આ પણ વાંચો:10 કિમીની કપરી મુસાફરી ભણતરમાં ક્યારેય આડે ન આવી, ધો-10માં આવ્યો અવ્વલ

સર્ચ ઓપરેશન શરૂ:ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામાં અને કુપરવાડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા એન્કાઉંટરમાં ચાર આતંરવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે કુપવાડા જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને માર્યા ગયા હતા. પોલીસના કહેવા પ્રમાણે સોમવારે માર્યા ગયેલા આતંકીની ઓળખાણ થઈ નથી શકી, સુરક્ષાબળોએ એરિયાને સિલ કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. સુરક્ષા બળોને મળેલી બાતમી ના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મરી ગયેલા આતંકી પાસેથી ગોળા બારૂદ અને ગુનાહિત સામગ્રી મળી આવી છે.

ABOUT THE AUTHOR

...view details