ગુજરાત

gujarat

By

Published : Oct 12, 2021, 12:07 PM IST

ETV Bharat / bharat

Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,313 નવા કેસ, 181 મૃત્યુ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દેશ (India Corona Update )માં 2,14,900 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે 209 દિવસમાં સૌથી ઓછા છે, પરંતુ અત્યાર સુધીમાં 4,50,963 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે.

Corona Update
Corona Update

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,313 નવા કેસ નોંધાયા
  • 181 લોકોના મોત થયાં
  • કોરોનાથી પીડિત 3,39,85,920 દર્દીઓ સ્વસ્થ થયા

નવી દિલ્હી :આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી કે, ભારત(India Corona Update )માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,313 નવા કેસ નોંધાયા છે, જે 216 દિવસમાં સૌથી ઓછા છે. તે જ સમયે, દેશમાં 181 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં 2,14,900 સક્રિય કેસ નોંધાયા છે, જે 210 દિવસમાં સૌથી ઓછા છે, પરંતુ અત્યાર સુધીમાં 4,50,963 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે.

રિકવરી રેટ હાલમાં 98.00 ટકા

આ ઉપરાંત, સક્રિય કેસો કુલ કેસોના એક ટકાથી ઓછા છે અને હાલમાં 0.67 ટકા છે, જે મહામારીની શરૂઆત બાદ સૌથી ઓછો હોવાનું માનવામાં આવે છે. તે દરમિયાન, કોરોનાથી પીડિત 3,33,20,057 દર્દીઓ સ્વસ્થ થયા બાદ ઘરે પરત ફર્યા છે. રિકવરી રેટ હાલમાં 95.89 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

95.19 કરોડ રસીના ડોઝ અપાયા

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 95.19 કરોડ રસી ડોઝ આપવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું છે કે, ભારતમાં રવિવારે 10 લાખ 81 હજાર 766 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, ત્યારબાદ કુલ 58,50,38,043 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details