નાયડૂ ઘર ખાલી કરે અથવા તો કાર્યવાહીનો સામનો કરે : YSR
ન્યૂઝ ડેસ્ક : આંધ્રપ્રદેશની સત્તાધારી સરકાર YSR કોંગ્રેસ પાર્ટીએ 7 જૂલાઇના રોજ પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબૂ નાયડૂને ઘર ખાલી કરવાની માંગ કરી હતી, જેમાં તેઓ રહી રહ્યા છે. YSRના ધારાસભ્ય અલ્લા રામકૃષ્ણા રેડ્ડીએ કહ્યું કે નાયડૂ ગેરકાયદાસેર મકાનમાં રહી રહ્યા છે, તેઓને એ ઘર ખાલી કરી દેવું જોઇએ.
મંગલાગિરીના ધારાસભ્યએ કહ્યું કે જો તેલુગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ ઘર ખાલી નહીં કરે તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કૃષ્ણા નદી પાસે આવેલા તમામ ઘર ગેરકાયદાસેર બનાવામાં આવ્યા છે.જેથી તે મકાનોને પાડવાનું અભિયાન YSR પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે.આ અભિયાનનું નેતૃત્વ કરનાર YSRનેતાએ કહ્યું કે તે જમીન જેના પર લિંગામનેની રમેશએ મકાન બનાવ્યો હતો તે મકાનને નાયડૂએ તરત જ ખાલી કરી દેવું જોઇએ.ધારાસભ્યે નાયડૂના મકાનની સ્થિતિ વિશે પોતાની દિશા બલવાનો આરોપ પણ લગાવ્યો હતો. રેડ્ડીએ યાદ કર્યું કે નાયડૂએ 6 માર્ચ 2016ના રોજ વિધાનસભામાં કહ્યું હતું કે આ મકાન સરકારના છે.