નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ હવે કેરળ ગોલ્ડ સ્મલિંગ કેસની તપાસની જવાબદારી ઉપાડી છે. આ કેસની તપાસની જવાબદારી મળતાં જ NIA દ્વારા આરોપી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
NIA દ્વારા કેરળ ગોલ્ડ સ્કેન્ડલ કેસની તપાસ શરૂ, આરોપીઓ સામે FIR નોંધાઈ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ હવે કેરળ ગોલ્ડ સ્મલિંગ કેસની તપાસની જવાબદારી ઉપાડી છે. આ કેસની તપાસની જવાબદારી મળતાં જ NIA દ્વારા આરોપી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
![NIA દ્વારા કેરળ ગોલ્ડ સ્કેન્ડલ કેસની તપાસ શરૂ, આરોપીઓ સામે FIR નોંધાઈ Woman wanted in gold smuggling case booked under UAPA: NIA to Kerala HC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7971744-113-7971744-1594379303925.jpg)
NIA હવે કેરળ ગોલ્ડ દાણચોરી મામલાની તપાસનો હવાલો સંભાળી લીધો છે. આ કેસની તપાસની જવાબદારી આવતા જ એનઆઈએએ આરોપી સામે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં મુખ્યત્વે સારિથ, સ્વપ્નપ્રભા સુરેશ, ફાજિલ ફરીદ અને સંદિપ નાયરના નામ છે. આ ઉપરાંત અન્ય આરોપીઓ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ એનઆઈએએ આ આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ કેસ દાખલ કર્યો છે. એનઆઈએએ હવે ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર જપ્ત કરાયેલા 30 કિલો સોનાની તપાસ હાથ ધરી છે. એનઆઈએએ આ કેસના સંબંધમાં એફઆઈઆર નોંધી છે.