ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી વડાપ્રધાન નહીં બને તો આત્મહત્યા કરી લઈશ: વસીમ રિઝવી

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ મંગળવારે કહ્યું હતું કે, જો નરેન્દ્ર મોદી ફરી વાર વડાપ્રધાન નહી બન્યા તો તેઓ આત્મહત્યા કરી લઈશ.

By

Published : Apr 30, 2019, 7:50 PM IST

ani

વસીમ રિઝવીએ કહ્યું હતું કે, જો 2019માં મોદી વડાપ્રધાન ન બન્યા તો અયોધ્યામાં રામ મંદિર સામે જઈ આત્મહત્યા કરી લઈશ.

તેમણે કહ્યું હતું કે, જો 2019માં કોઈ અન્ય નેતા દેશદ્રોહીયોની મદદથી વડાપ્રધાન બની જશે તો હું આત્મહત્યા કરી લઈશ. કારણ કે દેશદ્રોહીના હાથે મરવા કરતા ઈજ્જતથી મરવુ સારું.

રિઝવીએ વધુંમાં કહ્યું હતું કે, દેશપ્રેમી લોકોના દિલમાં મોદી માટે પ્રેમ છે, તો ગદ્દાર લોકોમાં ડર છે. તેઓ દેશના કુશળ વડાપ્રધાન છે.

ABOUT THE AUTHOR

...view details