સુપ્રીમ કોર્ટમાં સુનવણી પહેલા જમ્મુ-કશ્મીરના અલગવાદી નેતાઓ પર સરકારી કાર્યવાહી હેઠળ 150થી વધુ લોકોને અટકાયત કરવામાં આવી છે. તો શું છે આ કલમ 35-A? જેના કારણે જમ્મુ-કશ્મીરમાં તણાવ ઊભો થઇ રહ્યો છે.
આવો જાણીએ અનુચ્છેદ 35-A વિશે
- અનુચ્છેદ 35-A બંધારણનો એ લેખ છે જે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને અધિકાર આપે છે કે તે રાજ્યના સ્થાયી નિવાસીઓને વ્યાખ્યાયિત કરી શકે છે.
- વર્ષ 1954માં 14 મેના રષ્ટ્રપતિ ડૉ. રાજેંન્દ્ર પ્રશાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ અનુસાર સંવિધાનમાં એક નવો અનુચ્છેદ 35-A જોડી દેવામાં આવ્યો છે. આ અધિકાર કલમ 370 હેઠળ આપવામાં આવ્યો છે.
- વર્ષ 1956માં જમ્મુ-કશ્મીરનું બંધારણ બન્યું. જેમા સ્થાઇ નાગરિકતાને વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.
- જમ્મુ-કશ્મીરનાં બંધારણ પ્રમાણે, એ વ્યક્તિ સ્થાઇ નાગરિક છે. જે 14મે 1954ના રોજ રાજ્યના નાગરિક રહી ચૂક્યા હોય અથવા તે રાજ્યમાં 10 વર્ષથી રહેતા હોય. તેમની પાસે ત્યાં મિલકત હોય. વર્ષ 2014માં એક એનજીઓએ આ લેખને સમાપ્ત કરવા માટે અરજી દાખલ કરી હતી. જેના પર આજથી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવા જઇ રહી છે.
કલમ 35 શું છે?
- બંધારણમાં જમ્મુ-કાશ્મીર રાજ્ય માટે ખાસ દરજ્જો
- 1954ના રાષ્ટ્રપતિનાં આદેશથી તેને બંધારણમાં ઉમેરવામાં આવ્યો હતો
- આ કલમ હેઠળ રાજ્યના કાયમી રહેવાસીઓની ઓળખ
- બહારના લોકો જમ્મુ-કાશ્મીરમાં મિલકત ખરીદી શકતા નથી
- બહારના લોકો રાજ્ય સરકારની નોકરી કરી શકતા નથી