તેમણે જણાવ્યું કે, “મારા ગાર્ડ્સે કંઇ નથી કર્યું. જ્યારે હું મત આપીને આવી રહ્યો હતો ત્યારે એક ફોટોગ્રાફર મારી ગાડીનો કાંચ તોડી રહ્યો હતો. આ સંપૂર્ણ બાબત પરથી તો એવું લાગી રહ્યું છે કે, મારી હત્યાનું કાવતરૂં ઘડવામાં આવી રહ્યું છે.”
મળતી માહિતી મુજબ, તેજપ્રતાપ યાદવને મીડિયાકર્મીઓ પ્રશ્નો પૂછી રહ્યા હતા ત્યારે તેમના બૉડીગાર્ડ્સે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન પત્થરમારો પણ કરવામાં આવ્યો છે.