ગુજરાત

gujarat

By

Published : Apr 26, 2019, 5:05 PM IST

ETV Bharat / bharat

રવિ શંકર પ્રસાદ, હરસિમરત કૌર અને પ્રિનિત કૌરે ઉમેદવારી પત્ર ભર્યુ

ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ ગયા છે, ત્યારે હવે 29 એપ્રિલે ચોથા તબક્કાનું પણ મતદાન થશે. ત્યાર બાદ ત્રણ તબક્કાનું મતદાન બાકી રહેશે. ત્યારે આજે સાતમા તબક્કા માટેનું નામાંકન ફોર્મ ભરવા માટે મોટી હસ્તીઓ જોડાઈ છે.

design

જેમાં વડાપ્રધાન મોદીએ આજે વારાણસીમાંથી નામાંકન ભર્યું, તો હવે કેન્દ્રીય પ્રધાન રવિ શંકરે પણ પટના સાહિબ સીટ પરથી ભાજપમાંથી નામાંકન ભર્યું છે.

તો બીજી બાજું જોઈએ તો કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે શિરોમણી અકાલી દળમાંથી પંજાબના ભટિંડાથી નામાંકન ભર્યું છે.

આ બાજું પ્રિનિત કૌર કે જેઓ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના પત્ની છે જેમણે કોંગ્રેસમાંથી પટિયાલા સીટ પર ઉમેદવારી નોંધાવી છે તેમણ પણ આજે ઉમેદવારી નોંધાવી હતી. અહીં તેમની સાથે પતિ અમરિંદર સિંહ પણ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details