તીસ હજારીમાં વકીલો અને પોલીસ કર્મીઓ વચ્ચે થયેલી અથડામણમાં વકીલોએ 10 દિવસથી હડતાલ પર ઉતર્યા હતા. જેને આખરે અટકાવવામાં આવી છે. પરંતુ 10 દિવસમાં દોષિત પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં થાય તો વકીલોએ ફરીથી હડતાલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે, 2 નવેમ્બરે તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી અથડામણ બાદ તમામ પોલીસકર્મીઓ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર ખાતે એકજૂથ થયા હતા. તંત્ર સામે વિરોધ નોંધાવીને પોતાની સુરક્ષા અંગેની રજૂઆત કરી હતી. ત્યારબાદ વકીલો પણ પોતાના માંગને લઈ હડતાલ પર ઉતર્યા હતા.