ગાંધીના વિચારોથી પ્રેરાઈને ચંબલના 652 ડાકૂઓએ કર્યું હતું સરેંડર
મુરૈનાઃ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન રાજ્યની ત્રિશંકુ સીમાથી ઘેરાયેલા ચંબલ અંચલ ક્યારેક બગાવત માટે જાણીતું હતું, જ્યાં કુખ્યાત ડાકુઓની બોલબાલા હતી. તે સમયે જે કોઈ હથિયાર ઉઠાવે તો તેની આગળની રાત ચંબલની ટેકરીઓ પર જ થતી. કારણ કે ત્યારે ડાકુઓ માટે આ સૌથી સુરક્ષિત જગ્યા મનાતી હતી.
આ સમયે ગાંધીજી અહિંસાના શસ્ત્ર સાથે અંગ્રેજોને ધૂળ ચટાવી રહ્યાં હતાં. જેની આ ડાકુઓ પર ઉંડી અસર પડી અને મોટી સંખ્યામાં ડાકુઓ ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત થઈ શાંતિનો રસ્તો અપનાવવા મન બનાવ્યું હતું. જ્યારે ચંબલનું નામ સાંભળી મોટા-મોટા લોકો પાછા પડતા હતાં, ત્યારે ટેકરીઓ પર ગોળીઓના ધડાકા અને બગાવતની ઉઠતી જ્યોતમાં માનવતા સળગી રહી હતી. ઉબડ-ખાબડ ટેકરીઓ અનેે તેની પર ઉગી નીકળેલા ઝાડવા વચ્ચેથી નીકળતા રસ્તા, જેની કોઈ મંઝિલ ન હતી, ત્યારે એક વિચારધારાએ આ ખૂની રસ્તાને ખુશહાલીની મંઝિલ બતાવી. જેણે ગોળીઓની ગૂંજને શાંત કરી દીધી હતી. બદલાની ચિંગારીને ઠારી દીધી અને બરબાદીનો પર્યાય બનેલા ડાકુઓને હથિયાર મૂકી દેવા મજબૂર કરી દીધા હતાં. જેને લોકો મહાત્મા ગાંધીના નામથી જાણે છે. તેમના જ વિચારોને આત્મસાધ કરી તેમણે હિંસાનો રસ્તો હંમેશા માટે છોડી દીધો.