ગુજરાત

gujarat

સીતારામ યેચુરીએ PM મોદી તથા અમિત શાહને દુર્યોધન અને દુશાસન ગણાવ્યા

By

Published : Apr 26, 2019, 10:42 AM IST

કોલકાતા: કમ્યુનિસ્ટ નેતા સીતારામ યેચૂરીએ પશ્ચિમ બંગાળના એક કાર્યક્રમમાં જનસંબોધન કરતા કહ્યું કે અમિત શાહ અને મોદી મહાભારતના દુર્યોધન અને દુશાસન છે.યેચૂરીએ કહ્યું કે જે દશા મહાભારતમાં કૌરવોની થઇ હતી તે જ હાલત મોદી તથા શાહની થશે. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપની સરખામણી કરી હતી.

ફાઇલ ફોટો

યેચૂરી એ કહ્યું કે 100 કૌરવો માંથી ફક્ત બે ના નામ યાદ છે. યેચૂરી એ વધુમાં જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી પાર્ટીમાંથી તેમને કેટલાના નામ યાદ છે? મોદી અને શાહ.

તેમણે કહ્યું જે હાલત મહાભારતમાં કૌરવોની થઇ હતી તેજ હાલત હવે રાજનીતિમાં ભાજપ સાથે થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details