ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જેલનાં દિવસો યાદ કરી રડી પડી સાધ્વી પ્રજ્ઞા, હું આતંકવાદી નથી

ન્યૂઝ ડેસ્કઃ સાધ્વી પ્રજ્ઞાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જેલમાં મને માર મારી બળજબરી પૂર્વક જૂઠું બોલાવવામાં આવતું હતું. મારી વિરૂદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. મને જેલમાં ખૂબ જ દુઃખ દેવામાં આવતું હતું. મને મારનારા લોકો બળજબરી પૂર્વક ખોટું બોલાવતા હતાં.

By

Published : Apr 18, 2019, 6:59 PM IST

Updated : Apr 18, 2019, 7:25 PM IST

ians

તેણે વધુમાં કહ્યું કે, કેટલાક લોકો ઇચ્છે છે કે, મને ફાંસીએ લટકાવી દેવામાં આવે, પરંતુ NIAએ કહ્યું હતું કે, હું આતંકવાદી નથી. રાજકારણ બાબતે તેણે કહ્યું હતું કે, મને રાજનીતિનો અનુભવ છે, હું ક્યારેય વિવાદોમાં રહી નથી.'

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, દિવસ ભર મને મારવામાં આવતી હતી. મારવા વાળા બદલાઈ જતા હતા પણ માર ખાવાવાળી હું એકને એક જ હતી. 24 દિવસ સુધી મને ખાલી પાણી જ આપવામાં આવતું હતું.અનાજનો એક પણ દાણો આપ્યો નહોતો.

જ્યારે આ અંગે હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ પણ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજ છે ભાજપનો ઝીરો ટોલરેન્સ સાધ્વી પ્રજ્ઞાને ટિકીટ આપી ભાજપે પોતાની ઝીરો ટોલરેન્સ સાબિત કર્યું છે.

ઉમર અબ્દુલાએ પણ કહ્યું હતું કે, ભાજપે એક એવા ઉમેદવારને ટિકીટ આપી છે જે ફક્ત આતંકી હુમલામાં આરોપી નથી પણ સ્વાસ્થ્યના કારણે તે હાલ જામીન પર છે. જો તેની તબીયતને ધ્યાને રાખી જેલમાં રહેવું યોગ્ય નથી તો પછી ચૂંટણી લડવા માટે કેમ યોગ્ય સાબિત થઈ ગઈ ?

Last Updated : Apr 18, 2019, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details