ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાધ્વી પ્રજ્ઞાએ 11 પંડિતોના મંત્રોચ્ચાર સાથે નામાંકન ભર્યુ

ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશની ભોપાલ સીટ પરથી ભાજપે સાધ્વી પ્રજ્ઞાને જ્યારથી ઉમેદવાર જાહેર કરી છે ત્યારથી સતત વિવાદોમાં ધેરાયેલી રહેલી પ્રજ્ઞા ઠાકુરે આજે ભોપાલ સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. અહીં કલેક્ટર ઓફિસે પહોંચતા પહેલા તેણે 11 પંડિતો પાસે મંત્રોચ્ચાર કરાવ્યા હતા. ત્યાર બાદ તેણે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

By

Published : Apr 22, 2019, 4:29 PM IST

design

અગાઉ એવી પણ એક ખબર હતી કે સાધ્વી 23 એપ્રિલે નામાંકન ભરી શકે છે પણ એક મિટીંગ થયા બાદ સાધ્વીએ આજે નામાંકન ભર્યું છે. અહીં સાધ્વીની સાથે રાજ્યની પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.

તો સાથે સાથે આજે દિલ્હીમાં નોર્થ ઈસ્ટ સીટ પરથી ભાજપ ઉમેદવાર મનોજ તિવારીએ પણ નામાંકન ભર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details