અગાઉ એવી પણ એક ખબર હતી કે સાધ્વી 23 એપ્રિલે નામાંકન ભરી શકે છે પણ એક મિટીંગ થયા બાદ સાધ્વીએ આજે નામાંકન ભર્યું છે. અહીં સાધ્વીની સાથે રાજ્યની પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.
સાધ્વી પ્રજ્ઞાએ 11 પંડિતોના મંત્રોચ્ચાર સાથે નામાંકન ભર્યુ
ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશની ભોપાલ સીટ પરથી ભાજપે સાધ્વી પ્રજ્ઞાને જ્યારથી ઉમેદવાર જાહેર કરી છે ત્યારથી સતત વિવાદોમાં ધેરાયેલી રહેલી પ્રજ્ઞા ઠાકુરે આજે ભોપાલ સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. અહીં કલેક્ટર ઓફિસે પહોંચતા પહેલા તેણે 11 પંડિતો પાસે મંત્રોચ્ચાર કરાવ્યા હતા. ત્યાર બાદ તેણે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
design
તો સાથે સાથે આજે દિલ્હીમાં નોર્થ ઈસ્ટ સીટ પરથી ભાજપ ઉમેદવાર મનોજ તિવારીએ પણ નામાંકન ભર્યું હતું.