ગુજરાત

gujarat

By

Published : May 5, 2019, 12:16 PM IST

ETV Bharat / bharat

જેટ એરવેઝને ફરી જીવંત કરવા 'રોજા' પ્લાન

નવી દિલ્હી: ખરાબ નાણાકિય હાલતને કારણે હવાઈ વ્યવહાર બંધ કરનાર જેટ એરવેઝ પુન: શરૂ કરવા માટે યોજના બનાવી છે. જેટ એરવેઝ વ્યાવસાયિકોના એક જૂથે એરલાઇન પુન: શરૂ કરવા માટે તેના ધિરાણકારો સામે 'રિવાઈવલ ઓફ જેટ એરવેઝ એટલે રોજા ' પ્લાન રજૂ કર્યો છે.

જેટ એરવેઝ

વ્યાવસાયિકોએ આ 'રોજા' યોજના RBI, ICICI બેંક P&B સહિત એરલાઈન્સના પ્રમુખ દેવાદારો સમક્ષ રાખી છે. યોજના અનુસાર, જેટ એરવેઝના કર્મચારીઓ પ્રથમ કંપનીના નિયંત્રણને પોતાના હાથમાં લેશે. તેઓ વર્તમાન દેવાદારો પાસેથી લોન લેશે અને કંપનીમાં રોકાણ કરશે અને આમ કંપનીના ભાગીદાર તેમજ માલિક બનશે.

અગાઉ, જેટ એરવેઝના કર્મચારીઓના જૂથે બાહ્ય રોકાણકારો પાસેથી રૂ. 3,000 કરોડ એકત્ર કર્યા હતા અને કંપનીના મેનેજમેન્ટને તેમના પોતાના હાથમાં લેવાની ઓફર કરી હતી.

આ મુજબ, શંકરન પી. રઘુનાથનની આગેવાની હેઠળના વ્યાવસાયિકોના જૂથે પાયલોટ, ઇજનેરો, કર્મચારી યુનિયનો અને બેન્કર સહિતના વિવિધ હિસ્સેદારો સામે એરલાઇનને પુન: શરુ કરવાની યોજના રજૂ કરી છે.

યોજનાની વાત કરીએ તો, જેટ એરવેઝના કર્મચારી પ્રથમ તો કંપનીના મેનેજમેન્ટને તેમના પોતાના હાથમાં લેવાની ઓફર કરી હતી. તેઓ વર્તમાન દેવાદારો પાસેથી લોન લેશે અને કંપનીમાં રોકાણ કરશે અને આમ કંપનીના ભાગીદાર તેમજ માલિક બનશે.

વિગતો અનુસાર, બેંક કર્મચારીઓ 1500 કરોડ રુપિયા આપી શકે છે. આ એક અંગત લોન તરીકે પ્રત્યેક કર્મચારીના 6 મહિનાનું વેતન છે. કર્મચારી આ રુપિયાનો ઉપયોગ કરીને SBI તરફથી કંપનીની 51 ટકા હિસ્સેદારી અને ઈતિહાડથી 12.5% હિસ્સો ખરીદશે. બાકીના 200 કરોડ નવા શેર્સ માટે કંપનીને આપવામાં આવશે. આમ જેટ એરવેઝનું નિયંત્રણ કર્મચારીઓને મળશે.

યોજના હેઠળ આગલું પગલું એ વિમાનયાત્રા કરનાર લોકો પાસેથી ભંડોળ એકત્ર કરવાનું છે. યોજનાના આ તબક્કામાં, બે વર્ષ માટે માન્ય રૂ. 10,000 ની કિંમતે ચાર ટિકિટો ખરીદનારાઓને વ્યક્તિગત લોન આપવા માટે બેંકને તૈયાર કરવામાં આવશે. આમ, ટિકિટની પ્રી-સેલિંગ દ્વારા રૂ. 8,000 કરોડ સુધી વધારી શકાય છે.

એર લાઇનનું નિયંત્રણ લેવાની ઓફર કરનાર કર્મચારી એક પ્રસ્તાવ પસાર કરશે જે મુજબ ટિકિટ ખરીદનારા લોકો પ્રાધાન્યતા આધારે દર શેર 150 રૂપિયાની કિંમતે 100 શેર વેચશે જેના દ્વારા રૂ .12,000 કરોડ એકત્ર કરી શકાય છે.

પ્રસ્તુતિ અનુસાર, 20,000 કરોડની રકમ કંપનીની કાર્યકારી મૂડી અને ધિરાણકર્તાઓને પાંચ વર્ષ માટે ચુકવણી માટે ઉપયોગમાં લેવામાં આવશે. જેટ એરવેઝે નાણાકીય કટોકટી સામે લડવાને કારણે 17 એપ્રિલના રોજ તેની બધી ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે રદ કરવાની જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details