જગન્નાથ સંસ્કૃતિની પરંપરા ભગવાન વિશેની સર્વોપરિતા તથા તેમના વિશેની અગણિત વાર્તાઓથી સમૃદ્ધ છે. પવિત્ર નગરી પુરી ‘શંખ ક્ષેત્ર’ તરીકે પણ ઓળખાય છે. તે જેમના વિશે કદી સાંભળ્યું ન હોય તેવા ઘણા અજાણ્યા ધાર્મિક દસ્તાવેજો અને તથ્યોનો છૂપો સંગ્રહ છે. પૃથ્વી પરના આ સ્વર્ગમાં ભગવાનને જોવાનો અવસર સાંપડે, તે અત્યંત કલ્યાણકારી બાબત છે. ભગવાનના નિવાસસ્થાન એવા આ ભવ્યાતિભવ્ય મંદિરમાં ‘ગહન બીજે’ તરીકે ઓળખાતી પુરીનાં રાણીની મુલાકાત અંગે અમારી આ ખાસ રજૂઆત છે.
રાણી જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરે, તે પહેલાં પ્રથમ તીર્થસ્થાનને સ્વચ્છ કરવામાં આવે છે. તે દિવસોમાં, કોઇ પણ સેવક, ‘મુક્તિ મંડપ’ના સભ્યો, ભાવિકો કે સુરક્ષાકર્મીઓ મંદિરની અંદર રોકાતા નહીં. રાણી સિંહ દ્વાર થઇને પ્રવેશ કરે છે અને માત્ર ‘મુદી રથ’, સેવક તેમની સાથે હોય છે. જોકે, ગજપતિ (રાજા) તથા રાજવી પરિવારના સભ્યો ત્યાં હોઇ શકે છે. રાજાની સવારી ‘અરૂણ સ્તંભ’ (ઘેરો લાલ સ્તંભ) નજીક મંદિરના સિંહ દ્વારની સામે થોભે છે. રાણી તેમની પાલખીમાં બેસીને મંદિરના સંકુલમાં પ્રવેશ કરશે. રાણીની પાલખી કલ્પબાત તરીકે ઓળખાતા વડના પવિત્ર વૃક્ષ નજીક ઊભી રહેશે. ત્યાર બાદ તમામ વિધિ પૂર્ણ કરવામાં આવશે. રાણી ભગવાનની મહાન મૂર્તિને જોઇને તેમને પ્રણામ કરે છે.