ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રિપુરામાં 168 મતદાન મથકો પર 12 મેનાં રોજ ફરી વખત મતદાન થશે

અગરતલા: ત્રિપુરા પશ્ચિમ સંસદીય વિસ્તારની 26 વિધાનસભા સીટમાં 168 મતદાન મથકો પર 12 મેનાં રોજ ફરી વખત મતદાન થશે. ચૂંટણી પંચના એક અધિકારીએ આ જાણકારી આપી હતી.

By

Published : May 8, 2019, 12:16 PM IST

ians

ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું હતું કે, ત્રિપુરામાં 11 એપ્રિલે 168 મતદાન મથકો પર મતદાન પ્રભાવિત થયું હતું જેને લઈ હવે 12 મેના રોજ ફરી વખત ત્યાં મતદાન થશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ફરી વખત મતદાન માટે ત્યાં પહેલાથી કોઈ અઘટીત ઘટના ન ઘટે તે માટે ત્યાં અર્ધસૈનિકના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે જે 11 એપ્રિલથી ત્યાં જ ફરજ પર છે.

આ માટે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તથા માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ ભાજપ પર મતદાનમાં ઘાંઘલી, બૂથ કેપ્ચરિંગ, ધમકી તથા હિંસા કરવાને લઈ ફરી વખત મતદાન કરાવાની માંગ કરી હતી.

જો કે, સત્તાધારી પાર્ટી ભાજપે આ તમામ આરોપ ફગાવી દીધા હતા. તથા તેમના વિરુદ્ધ ષડયંત્ર રચાતુ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details