રજનીકાંતે કહ્યું કે આ ચૂંટણીમાં ફક્ત મોદીની જીત થઇ છે. વધુમાં તેમણે જણાવ્યું કે જવાહર લાલ નેહેરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી બાદ "મોદી જ એક એવા નેતા છે જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે."
તેમણે કહ્યું કે તમિલનાડુમાં મોદી વિરોધી લહેર હતી અને વિભિન્ન ઔદ્યોગીક પરિયોજનાઓ, અને એવી કેટલીક યોજનાઓ જે બનાવવામાં આવી હતી પરંતુ લાગુ નહોતી પાડવામાં આવી માટે તમિલાનાડુમાં BJPને હારનો સામનો કરવો પડ્યો.