ગુજરાત

gujarat

By

Published : Sep 6, 2020, 2:15 PM IST

ETV Bharat / bharat

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેહરાન પહોંચ્યા, ઇરાની સમકક્ષ સાથે મુલાકાત કરી

રક્ષા પ્રધાન રાજનાથ સિંહ શનિવારે તેહરાન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઇરાની સમકક્ષ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણએ દ્વિપક્ષીય રક્ષા સંબંધો પર ચર્ચા કરી હતી. તેના એક દિવસ પહેલા જ તેમણે ફારસની ખાડીના દેશો સાથે પોતાના મતભેદોને પરસ્પર સમાધાનના આધારે વાતચીતથી નિવારણ લાવવા અનુરોધ કર્યો હતો.

Rajnath Singh
Rajnath Singh

તેહરાનઃ રશિયાને ત્રણ દિવસીય પ્રવાસ પુરોકર્યા બાદ રાજનાથસિંહ મોસ્કોથી તેહરાન પહોંચ્યા હતા. તેમણે મોસ્કોમાં શંઘાઇ સહયોગ સંગઠનના રક્ષા પ્રધાનોની બેઠકમાં ભાગ લીધો છે. રક્ષા પ્રધાને રશિયા, ચીન અને મધ્ય એશિયાઇ દેશોને પોતાના સમકક્ષોની સાથે આ દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

તેહરાનના રક્ષા પ્રધાનની સાથે તેમણે બેઠક કરી હતી. આ દરમિયાન રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ઇરાની રક્ષા પ્રધાન બ્રિગેડિયર જનરલ અમીર હાતિમની સાથે એક બેઠક થઇ છે. અમે અફ્ઘાનિસ્તાન સહિત ક્ષેત્રીય સુરક્ષા મુદ્દા અને દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ પહેલા રક્ષા પ્રધાનના કાર્યાલયે ટ્વીટ કરતા જાણકારી આપી હતી કે, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ તેહરાન પહોંચ્યા છે. તે આ પ્રવાસમાં ઇરાનના રક્ષા પ્રધાન સાથે મુલાકાત કરશે.

ભારતે શુક્રવારે કહ્યું હતું કે, તે ફારસની ખાડીમાં સ્થિતને લઇને ખૂબ જ ચિંતિત છે અને વિસ્તારના દેશો સાથે પરસ્પર સમ્માન પર આધારિત વાતચીત દ્વારા મતભેદોનું નિવારણ લાવવા અનુરોધ કર્યો હતો.

ફારસની ખાડીમાં હાલના અઠવાડિયામાં ઇરાન, અમેરિકા અને સંયુક્ત અરબ અમીરાતથી સંબંધિત અનેક ઘટનાઓએ વિસ્તારમાં તણાવમાં વધાર્યો છે.

ABOUT THE AUTHOR

...view details