નવી દિલ્હીઃ રેલવે બોર્ડની સિગ્નલ ટેલિકોમ વિભાગના સભ્ય પ્રદિપ કુમારે જણાવ્યુ છે કે, "અમે દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી હાવડા રૂટની ટ્રેન્સની સ્પીડ પ્રતિ કલાકે 160 કિલોમીટર વધે તેનું પ્લાનીંગ કરી રહ્યા છીએ. આ રુટ આટલી સ્પીડ માટે સક્ષમ છે. તેમજ સિગ્નલની દ્રષ્ટિએ પણ યોગ્ય છે. 2021ના માર્ચ પહેલા આ હાઈસ્પીડ ટ્રેન્સ ચાલુ કરી દેવાશે."
તેમણે ઉમેર્યુ હતું કે,"સ્વર્ણીમ ચતૂભુર્જ" જેમાં દિલ્હી-મુંબઈ, દિલ્હી-હાવડા, દિલ્હી-ચેન્નાઈ રુટ પરની મહત્તમ ટ્રેન્સ પ્રતિકલાકે 130 કિલોમીટરની સ્પીડે દોડે છે."છેલ્લા થોડો વર્ષોમાં રેલવે ટેક્નીકલે તમામ ટ્રેક. સિગ્નલ્સ, કોચની ગુણવત્તા વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. "