નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લૉકડાઉન દરમિયાન મજૂરો અને ગરીબો પોતાના ઘર જવા માટે પગપાળા નીકળ્યા છે, જેને લઇને સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આવી ભયાનક સ્થિતિ માટે મોદી સરકાર જવાબદાર છે. મહત્વનું છે કે, કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે સરકારે દેશમાં લૉકડાઉન જાહેર કર્યું છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, આ સ્થિતિને એક મોટી દુર્ઘટનામાં બદલવા પહેલા સરકારને કડક પગલા ભરવા જોઇએ.
આ તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, આ સ્થિતિ પર આપણને બધાને શરમ આવવી જોઇએ. તેમણે ગરીબોના પગપાળા પલાયનનો એક વીડિયો શેર કરતાં ટ્વીટ કર્યું કે, આ મજૂરો હિન્દુસ્તાનીઓની સાથે આવો વ્યવહાર ન કરો. આપણને શરમ આવવી જોઇએ, તેમને આ હાલતમાં છોડ્યા છીએ. આ આપણા લોકો છે. પ્રિયંકાએ કહ્યું કે, મજૂરો દેશના અભિન્ન અંગ છે. મહેરબાની કરીને તેમની મદદ કરો.