ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી પાંચ વર્ષ બાદ અયોધ્યામાં 'રામ લલ્લા'ના શરણે જશે

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં અયોધ્યા આવશે. મોદી સરકાર બન્યા બાદ પાંચ વર્ષમાં પ્રથમ વખત અયોધ્યા આવશે. અયોધ્યામાં આવ્યા પછી વડાપ્રધાન એક રેલી પણ કરે તેવી સંભાવના છે. રામ મંદિરમાં આશ્વાસન આપતા વડાપ્રધાન મોદીએ પાંચ વર્ષમાં એક પણ વાર અયોધ્યા ગયા નથી.

By

Published : Apr 25, 2019, 4:45 PM IST

file

વિતેલા વર્ષોમાં અનેક સાધું સંતોએ માંગ કરી હતી કે વડાપ્રધાન મોદી એક વાર અયોધ્યા આવે. પણ હવે અવસર આવ્યો છે કે, જ્યારે તેઓ વડાપ્રધાન છે અને એક બાજું ચૂંટણી છે ત્યારે વડાપ્રધાન મોદી અયોધ્યામાં જશે. આપને જણાવી દઈએ કે, જ્યારે 2014માં મોદી સરકાર આવી તો લોકોમાં અને ભક્તોમાં ખાસ આશા જાગી હતી કે, હવે મંદિર બની જશે, પણ આ મુદ્દો હજુ હલ થયો નથી.યોગી સરકારે જો કે, વિતેલા થોડાક વર્ષોમાં સારું એવું મહત્વ આપ્યું છે. યોગી અયોધ્યામાં ભવ્ય દિવાળી ઉજવે છે. ઉપરાંત યોગી સરકારે અયોધ્યા માટે મોટું બજેટ પણ ફાળવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details