ગુજરાત

gujarat

મધ્યપૂર્વમાં ફસાયેલા શ્રમિકોને પરત લાવવા માટે રાહુલ ગાંધીએ સરકારને કરી તાકીદ

By

Published : Apr 15, 2020, 2:55 PM IST

ભારતીય શ્રમિકો મધ્ય પૂર્વમાં ફસાયેલા છે, જેને પરત લાવવા રાહુલ ગાંધીએ સરકારને ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવા તાકીદ કરી છે. મંગળવારે પણ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે, કોરોના વાઈરસને રોકવા માટે જરૂરી કીટ ખરીદવામાં વિલંબ થયો છે, જેના કારણે દેશમાં કીટની અછત સર્જાઈ છે.

rahul gandhi
rahul gandhi

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, મધ્ય પૂર્વમાં કોવિડ -19 રોગચાળાને લીધે હજારો ભારતીય કાર્યકરો મુશ્કેલીમાં છે અને તે બધા ઘરે પાછા ફરવા માગે છે . અમારા બધા ભાઈ-બહેનોને પાછા લાવવા સરકારે ફ્લાઇટ્સ માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને તેમને ક્વોરેન્ટાઇનમાં રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ સમયે, તેને ભારતની મદદની સૌથી વધુ જરૂર છે.

આ અગાઉ મંગળવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે, કોરોના વાઈરસના પરીક્ષણ માટે જરૂરી કિટ ખરીદવામાં વિલંબ થયો છે, જેના કારણે દેશમાં કીટની અછત છે અને તપાસની દ્રષ્ટિએ અન્ય દેશોની તુલનામાં ભારત ખૂબ જ પાછળ છે.

તેમણે ટ્વિટ કર્યું હતું કે ભારતે ટેસ્ટ કીટ ખરીદવામાં મોડું કર્યું છે અને હવે તેને ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીએ કહ્યું કે ભારતમાં 1 મિલિયનની વસ્તી માટે 149 લોકોને સ્ક્રીનીંગ કરવામાં આવ્યા છે. આ દ્વારા અમે લાઓસ (157), નાઇજર (182) અને હોન્ડુરાસ (162) જેવા દેશોના જૂથમાં શામેલ છીએ. તેમણે કહ્યું કે આ વાયરસ સામેની લડતમાં મોટા પાયે તપાસ મહત્વપૂર્ણ છે. અત્યારે આપણે આ બાબતમાં ક્યાંય જોવા મળ્યા નથી.

બીજી તરફ, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં કોરોના તપાસ વધુ તીવ્ર ન હોવાનો આરોપ લગાવતા રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, મેં યુપીના મુખ્યપ્રધાનને પત્ર લખીને તપાસની સંખ્યા વધારવા વિનંતી કરી હતી.

રાજ્યમાં થયેલા 5 માં મોતનો કોરોના તપાસ અહેવાલ મૃત્યુ બાદ આવ્યો છે. પ્રિયંકાએ દાવો કર્યો હતો કે, તપાસની સિસ્ટમ હજી ઘણી નબળી છે. તપાસની પદ્ધતિને ઝડપી અને વ્યવસ્થિત બનાવો. મહત્તમ તપાસ જ અમને સાચો ચિત્ર આપી શકે છે.

ABOUT THE AUTHOR

...view details