- મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કિસાન રેલને રવાના કરશે
- મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી દોડશે આ રેલ
- ભારત સરકારે ફળો અને શાકભાજીના પરિવહન પર 50 ટકાની સબસિડી આપી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી દોડનારી 100 મી કિસાન રેલને રવાના કરશે.
પીએમઓએ કહ્યું કે, આ ટ્રેન કોબી, સિમલા મિરચાં, ડુંગળી જેવા શાકભાજી તથા દ્રાક્ષ, નારંગી, દાડમ, કેળા તથા સીતાફળ જેવા ફળ લઇને આવશે. ભારત સરકારે ફળો અને શાકભાજીના પરિવહન પર 50 ટકાની સબસિડી આપી છે.