નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતમાં વધુ વિદેશી રોકાણ આકર્ષિત કરવાની વ્યૂહરચના અંગે અને #COVID19 રોગચાળા સામે અર્થતંત્રને વેગ આપવા માટે એક બેઠક યોજી હતી.
કોરોના સંકટ : અર્થતંત્રને સક્ષમ કરવા વડાપ્રધાન મોદીની બેઠક, રોકાણ વધારવા પર ચર્ચા
બેઠકમાં પીએમ મોદીએ નિર્દેશ આપ્યો કે, રોકાણકારોને મદદ કરવા માટે વધુ સક્રિય અભિગમ અપનાવવો જોઈએ. રોકાણકારોની સમસ્યાનું ધ્યાન રાખવું જોઈએ.
કોરોના સંકટ : અર્થતંત્રને સક્ષમ કરવા વડાપ્રધાન મોદીની બેઠક,રોકાણ વધારવા પર ચર્ચા
મળતી માહિતી મુજબ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, દેશમાં હાલની ઔદ્યોગિક જમીન /પ્લોટ/એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે એક યોજના વિકસિત કરવી જોઈએ અને જરૂરી આર્થિક સહાય પ્રદાન કરવું જોઈએ.