ગુજરાત

gujarat

રામજન્મભૂમિ આંદોલનના સૂત્રધારઃ પરમહંસ, સિંધલ અને અડવાણી

By

Published : Nov 10, 2019, 12:36 PM IST

નવી દિલ્હીઃ હાલ, સૌ કોઈ રામંદિર મુદ્દે SCએ કરેલાં નિર્ણયની ચર્ચા કરી રહ્યાં છે. ક્યાંક સ્વીકાર છે તો ક્યાંક વિરોધ. છતાં આ નિર્યણને લોકોએ આવકાર્યો છે. ધાર્મિક આસ્થાથી શરૂ થયેલો આ મુદ્દો કોમી રમખાણો સુધી પહોંચ્યો હતો. જેનો 9 નવેમ્બરે SCએ કરેલાં ચુકાદા બાદ અંત આવ્યો છે. પરતું સહજ પ્રશ્ન થાય કે, આ મુદ્દાની શરૂઆત ક્યાં, કેવી રીતે અને કોણે કરી?? જેણે આખા દેશને હચમચાવી દીધો છે. તો, તમારા આ તમામ પ્રશ્નો જવાબ મેળવો આ વિશેષ અહેવાલમાં...

રામજન્મભૂમિ આંદોલનના સૂત્રધાર

સુપ્રિમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા જમીન વિવાદ મામલે ચુકાદો આપ્યો છે. જેનાથી રામ મંદિરના નિર્માણનું કાર્ય સરળ થયું છે. અયોધ્યામાં રામંદિર બનવવા માટેનું આંદોલન શરૂ કરનારા અને તેને આગળ ધપાવનારમાં પરમહંસથી લઈ વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંધલ અને BJP નેતા અડવાણીની મહત્વની ભૂમિકા હતી.

90ના દાયકામાં ભાજપાના રાષ્ટ્રીય રાજકારણની મુખ્યધારામાં રામજન્મભૂમિ આંદોલનનની પટકથા રામચંદ્રએ લખી હતી. જેનો પાયો અશોક સિંધલે નાખ્યો જેને રાજકીય ચહેરો બન્યાં લાલકૃષ્ણ આડવાણી.

મૂળ ઈન્જિનીયર અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ સિંધલે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવા માટે આ આંદોલનનો પાયો નાખ્યો હતો. આ પહેલા રામજન્મભૂમિ અંગે ન્યાસના પ્રમુખ સંત રામચંદ્ર પરમહંસ અને કેટલાંક હિન્દુ સમૂહ દ્વારા હિમાયત કરવામાં આવી હતી. વર્ષ 1934માં આ આંદોલનની શરૂઆત થઈ હતી. 1949માં વિવાદાસ્પદ રામજન્મભૂમિ પર ભગવાન રામની મૂર્તિની સ્થાપના પણ કરાઈ હતી. તે દરમિયાન 90 દાયકાના અંતમાં ભાજપના વરીષ્ઠ નેતા આડવાણી આ આંદોલનના રાજકીય ચહેરો બન્યા હતા.

વર્ષ 1984માં સિંધલ VHP(વિશ્વ હિન્દુ પરિષદ)ના સંયુક્ત મહામંત્રી તરીકે આ આંદોલનમાં જોડાયા અને પ્રથમ ધર્મસંસદ બોલાવી તેમણે રામ મંદિરના મુદ્દે સંતોનું સમર્થન કર્યુ. ત્યારબાદ VHPના કાર્યકારી અધ્યક્ષ બન્યા અને આ આંદોલનને જનાંદોલન બનાવ્યું. તેમણે સંતો, સંઘ નેતાઓ અને ભાજપા વચ્ચે સેતુ બનવાનું કામ કર્યુ.

1989 લોકસભા ચૂંટણીમાં તેમણે ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિરનો મુદ્દો મૂક્યો. બસ, ત્યારથી અત્યાર સુધી રામમંદિર મુદ્દો ભાજપા માટે લાભદાયી સાબિત થતો રહ્યો. આડવાણીએ હિન્દુ રાષ્ટ્રવાદ દ્વારા પોતાની વોટબેન્ક ભરવા માટે 1990 રામ રથયાત્રાની શરૂઆત કરી હતી.

આમ, એક તરફ આડવાણી રામમંદિર આંદોલનથી રાજકીય લાભ મેળવી રહ્યાં હતા. તો બીજી તરફ પરમહંસ આ આંદોલનથી એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે, તેઓ કહેતા હતા કે," હવે જો ભગવાન રામ પણ આવી મને કહે કે, મારો જન્મ અયોધ્યામાં નથી થયો. તો પણ હું માનીશ નહીં."

આ રીતે 90 દાયકાથી શરૂ થયેલાં રામજન્મભૂમિ વિવાદનો 9 નવેમ્બર 2019માં સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી અંત આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details