ગુજરાત

gujarat

By

Published : Mar 15, 2020, 6:27 PM IST

ETV Bharat / bharat

કોરોના પર SAARC દેશો સાથે પીએમ મોદીની ચર્ચા, કહ્યું- સાથે મળીને લડવું પડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોરોના વાયરસ સામે લડવા માટે એક સામાન્ય રણનીતિ નક્કી કરવા માટે આજે સાર્કના સભ્ય દેશોની વીડિયો કોન્ફરન્સમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. આ દરમિયાન મોદીએ કહ્યું કે, કોઈએ કોરોનાથી ડરવાની જરૂર નથી. PM મોદીએ ટ્વિટ કરીને તમામ સાર્ક દેશોને એકઠા થઈને આ વાયરસ સામે લડવાનું આમંત્રણ આપ્યું છે. જે બાદ હવે ઘણા દેશોએ ભારતીય વડાપ્રધાનના આ અભિયાનને ટેકો આપ્યો હતો.

Pak PM's aide to participate in SAARC video conference on coronavirus
વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોરોના વાયરસ સામે લડવા સામાન્ય રણનીતિ તૈયાર કરવા માટે આજે સાર્કના સભ્ય દેશોની વીડિયો કોન્ફરન્સમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાનના સ્વાસ્થ્ય વિશેષ સહાયક ડૉ. ઝફર મિર્ઝા રવિવારે સાર્કના સભ્ય દેશોની વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત ઝડપથી ફેલાતા કોરોના વાયરસ રોગચાળાને નાથવા સંયુક્ત વ્યૂહરચના બનાવવામાં આવી હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેની વિડિઓ કોન્ફરન્સની વિશેષતા: -

  • આ રોગચાળાને કારણે આપણી અર્થવ્યવસ્થાને ભારે આંચકો લાગ્યો છે.
  • ખાસ કરીને ગયા વર્ષે થયેલા આતંકવાદી હુમલાથી, જ્યાંથી આપણે ઉભરી રહ્યા છીએ ત્યારથી ઘણું દુઃખ થયું છે.
  • હું સાર્ક દેશોને સલાહ આપું છું કે, આપણે આપણા અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે મિકેનિઝમ ઉંભુ કરીએ
  • હું PM નરેન્દ્ર મોદીને તેમના અનુભવો, વિચારો, પડકારો સમજવા અને ઉપાયોની ચર્ચા કરવા માટે આભાર માનું છું.

માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની વિડિઓ કોન્ફરન્સના મુખ્ય મુદ્દા: -

  • કોરોના વાયરસના વધતા જતા ખતરોનો સામનો કરવા માટે હું PM મોદીનો આભાર માનું છું.
  • દરેક દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે.
  • માલદીવને ભારત તરફથી હમેશા સહાય મળી છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની વીડિયો કોન્ફરન્સની વિશેષતા: -

  • ભારત સાર્ક અને શાંઘાઈ બંને સહયોગનો મહત્વપૂર્ણ ભાગ છે.
  • સાર્ક અને શાંઘાઈ સહયોગ વચ્ચે સંકલન કરીને ભારત દરેકને કોરોના સામે લડવામાં મદદ કરી શકે છે.
  • ચીનનો અનુભવ આપણી પરિસ્થિતિ માટે ખૂબ અનુકૂળ છે અને અમે તેમના અનુભવથી કેવી રીતે શીખી શકીએ, આ ભારત અમને કહી શકે છે.
  • આપણે કોરોના સામે લડવા માટે એક સામાન્ય માળખું તૈયાર કરવું જોઈએ.
  • સરહદો બંધ થવાને કારણે ખાદ્યપદાર્થો, દવાઓ અને મૂળ સામાનની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સમસ્યા ઊંભી થશે.
  • ચીન, અમેરિકા, ઈરાન વગેરે દેશોની કોઈપણ ચીજો આપણા માટે યોગ્ય નથી.

વડા પ્રધાન મોદીની વિડિઓ કોન્ફરન્સના મુદ્દા મુજબના મુખ્ય મુદ્દાઓ વાંચો: -

  • અમે વિદેશથી 1400 ભારતીયોને પરત લાવ્યા છીએ.
  • અમારા પાડોશી દેશોના કેટલાક નાગરિકોને પણ મદદ કરી.
  • કોરોના વાયરસથી બચવાની જરૂર છે.
  • ભારતમાં કોરોના પર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાને કારણે આરોગ્ય કટોકટી જાહેર કરાઈ હતી.
  • સાર્ક દેશોએ હાલ સાવધ રહેવાની જરૂર છે.
  • કોઈને પણ કોરોના વાયરસ સામે ડરવાની જરૂર નથી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની, માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલી, ભૂતાનના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન શામેલ હશે. આ સમયે, પાકિસ્તાનથી વડાપ્રધાન ઇમરાન ખાનના સહાયક ડૉ ઝફર મિર્ઝા વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

કોરોના વાયરસ બાબતે SAARCએ વીડિયો કોન્ફરન્સ યોજી

ઉલ્લેખનીય છે કે, શનિવારે મોદીએ કહ્યું હતું કે, સાર્ક નેતાઓ સાથે આવવાથી અસરકારક પરિણામો મળશે, અને નાગરિકોને કોરોના વાયરસ સામેની લડતમાં ફાયદો થશે.

વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન

પાકિસ્તાનના વડા પ્રધાનના સ્વાસ્થ્ય વિશેષ સહાયક ડૉ. ઝફર મિર્ઝા રવિવારે સાર્કના સભ્ય દેશોની વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત ઝડપથી ફેલાતા કોરોના વાયરસ રોગચાળાને નાથવા સંયુક્ત વ્યૂહરચના બનાવવામાં આવી હતી.

વડા પ્રધાન મોદી શુક્રવારે 8 સદસ્યોના પ્રાદેશિક જૂથમાં પહોંચ્યા હતા. વાયરસના પ્રકોપ સામે લડવાની કડક વ્યૂહરચના બનાવવા માટે દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર (સાર્ક)ના નેતાઓ વચ્ચે વીડિયો કોન્ફરન્સ માટે અનુરોધ કર્યો હતો. મોદીના સૂચનને સાર્કના તમામ સભ્ય દેશોએ ટેકો આપ્યો હતો.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા આઈશા ફારુકીએ ટ્વીટર પર લખ્યું કે, "# કોવિડ-19ના ફેલાવા સામે વૈશ્વિક અને પ્રાદેશિક સ્તરે જરૂરી પગલા લેવાની જરૂર છે. #SAARC સભ્ય દેશોની વીડિઓ કોન્ફરન્સમાં ભાગ લેશે. શનિવારે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા આઈશા ફારૂકીએ ટ્વિટ કર્યું.

ડૉ. મીર્ઝા વાયરસ સામે પાકિસ્તાનના અભિયાનની આગેવાની કરી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનના શહેર વુહાનમાં પ્રથમવાર ઉદ્ભવેલા આ જીવલેણ વાયરસથી 5000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, અને 155 દેશો અને પ્રદેશોમાં 1,50,000થી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. ચીન સૌથી કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત દેશ છે. કોરોના વાયરસના કારણે ચીનમાં 80,000થી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 3,199 લોકોનાં મોત નિપજ્યા છે.

પાકિસ્તાનમાં કોઈ મોતનું મોત થયું નથી, જ્યારે આ રોગને કારણે ભારતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 34 કેસ નોંધાયા છે, અને ભારતમાં 107 પુષ્ટિ થયેલા કેસ છે. અફઘાનિસ્તાનમાં 11 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે, જ્યારે શ્રીલંકાની સંખ્યા વધીને 10 પર પહોંચી છે. અન્ય સભ્યો-માલદિવ, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનમાં એક જ અંકમાં કેસ નોંધાયા છે. બધા દેશોએ તેમની સરહદોમાં વાયરસના ફેલાવાને રોકવા માટે વ્યક્તિગત રીતે પગલા લીધા છે.

ઉલ્લેખનીય છે કે, 2014માં છેલ્લી સાર્ક શિખર સંમેલન નેપાળના કાઠમંડુમાં યોજવામાં આવ્યું હતું, જેમાં મોદીએ ભાગ લીધો હતો. 2016ની સાર્ક સમિટ ઈસ્લામાબાદમાં યોજાવાની હતી. પરંતુ તે સમયે 18 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભારતીય સૈન્યની છાવણી પર આતંકવાદી હુમલો થયા હતો. જે કારણે ભારતે પ્રવર્તમાન સંજોગોને કારણે શિખર સંમેલનમાં ભાગ લેવાની અસમર્થતા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાને પણ તેમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી, આ પછી સમિટ રદ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details