3 જુલાઈએ આતંકવાદ વિરોધી કાયદા (એટીએ) 1997 હેઠળ જમાતના ટોચના 13 નેતાઓ સામે આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગના 2 ડઝન કેસ નોંધાયા હતા.
CTDએ પંજાબના પાંચ શહેરોમાં કેસ નોંધાયાની આતંકવાદ વિરોધી વિભાગ (સીટીડી)એ જાહેરાત કરી હતી કે, જેયુડી બિન-લાભકારી સંસ્થાઓ અને અલ-અનફાલ ટ્રસ્ટ, દાવતુલ ઇર્શાદ ટ્રસ્ટ, મુઆઝ બિન જબલ ટ્રસ્ટ વગેરે દ્વારા એકત્રિત કરવામાં આવેલા ભંડોળમાંથી આતંકવાદીઓને મોકલતો હતો. આ ગેરલાભકારી સંગઠન પર એપ્રિલમાં પ્રતિબધ લગાવવામાં આવ્યો છે. જે બાદમાં 17 જુલાઈના પંજાબ સીટીડી દ્વારા આતંકના આરોપમાં હાફિઝ સયદને ગુજરાવાલાથી ધરપકડ કરવામાં આવી છે. બાદમાં તેમને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.