નવી દિલ્હી / પેરિસ: પાંચ રાફેલ લડાકુ વિમાનોની પહેલી બેચ ભારત રવાના થઈ ગઈ છે. તે 29 જુલાઈએ ભારત પહોંચશે. આ વિમાનોને 20 ઓગસ્ટે એરફોર્સના કાફલામાં સમાવિષ્ટ કરવામાં આવશે.
7364 કિલોમીટરની હવાઇ યાત્રા પુરી કરીને 5 રાફેલ વિમાન બુધવારે અંબાલા એરબેસ પહોંચશે.એરફોર્સના એર ક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂએ ફ્રાન્સમાં ઉચ્ચ અદ્યતન શસ્ત્ર પ્રણાલીથી સજ્જ વિમાનોની વિસ્તૃત તાલીમ લીધી છે. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે લડાકુ વિમાનોના આગમન પછી, તેમના પરિચાલનનો નિર્ણય લેવામાં આવશે.