ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબમાં ઈમરાન ખાન અને સિદ્ધુના પોસ્ટર લાગતા થયો વિવાદ

ચંડીગઢ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુની તસ્વીર વાળા હોર્ડિગ્સ લાગતા અમૃતસરમાં વિવાદ થયો છે. આ પોસ્ટરમાં કરતારપુર ગુરુદ્વારા સાહિબને ભારતીય વિસ્તાર સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા 'અસલી નાયક' ગણાવ્યા છે.

By

Published : Nov 6, 2019, 2:45 PM IST

navjot singh sidhu poster with imran in amritsar

મંગળવારે જોવા મળેલા એક પોસ્ટરમાં લખ્યું હતું કે, કરતારપુર સાહિબ કોરિડોરની પાછળના સાચા નાયક, અમે પંજાબી સ્વિકાર કરીએ છીએ કે, તેનો શ્રેય નવજોત સિંહ સિદ્ધુ અને ઈમરાન ખાનને જાય છે.

જો કે, નગર નિગમે થોડી વારમાં આ પોસ્ટર ઉતારી લીધા હતા.

ભારતની નજીક આવેલા લગભગ 4 કિમી દૂર પર પાકિસ્તાનના પંજાબ વિસ્તાર સ્થિત કરતારપુર ગુરુદ્વારનું નિર્માણ થયું છે. જ્યાં 16 શતાબ્દીમાં ગુરુ નાનકે અંતિમ શ્વાસ લીધા હતા. જેને 4.2 કિમી લાંબા કરતારપુર સાહિબ કોરિડોર સાથે જોડવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details