ગુજરાત

gujarat

રાષ્ટ્રીય રમતગમત દિવસઃ આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો

By

Published : Aug 29, 2020, 6:06 AM IST

હોકીની રમતમાં ધ્યાનચંદને સૌથી શ્રેષ્ઠ ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટે ભારતની સરકારે રાષ્ટ્રીય રમતગમત દિવસ જાહેર કર્યો છે.

National Sports Day: Five interesting facts about Major Dhyan Chand
રાષ્ટ્રીય રમતગમત દિવસઃ આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો

હૈદરાબાદઃ હોકીની રમતમાં ધ્યાનચંદને સૌથી શ્રેષ્ઠ ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટે ભારતની સરકારે રાષ્ટ્રીય રમતગમત દિવસ જાહેર કર્યો છે. આ વર્ષે ધ્યાનચંદની 115મી જન્મજયંતિ ઉજવવામાં આવશે.

રાષ્ટ્રીય રમતગમત દિવસઃ આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો

દર વર્ષે આ દિવસે, ભારતના રાષ્ટ્રપતિ અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જેવા તમામ રમતગમતને લગતા પુરસ્કારોથી રાષ્ટ્રને પોતપોતાની રમતમાં ગૌરવ અપાવનારા ખેલાડીઓને સન્માનિત કરે છે.2020 રાષ્ટ્રીય રમતગમત દિવસ કોવિડ-19 રોગચાળાને કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સામાન્ય રીતે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ્સ રજૂ કરવામાં આવે છે.ધ્યાનચંદે ભારતને 1928, 1932 અને 1936માં હોકીમાં સતત 3 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધ્યાનચંદે 22 વર્ષ સુધીની કારકીર્દિમાં 400થી વધુ ગોલ નોંધાવ્યા હતા.

રાષ્ટ્રીય રમતગમત દિવસઃ આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો

આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો છે જે દરેક ભારતીયને જાણતા હોવા જોઈએ:

રાષ્ટ્રીય રમતગમત દિવસઃ આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો

કુસ્તી માટે પ્રેમ

અલાહાબાદમાં જન્મેલા ધ્યાનચંદને બે ભાઈઓ હતા. તેમના પિતા બ્રિટીશ ભારતીય સૈન્યમાં હોવાથી તેમનો પરિવાર એક શહેરથી બીજા શહેરમાં જતા હતા. તેઓ ફક્ત ધોરણ-6 સુધી ભણી શક્યાં, ત્યારબાદ તેમણે કુસ્તી રમવાનું શરૂ કર્યું.

રાષ્ટ્રીય રમતગમત દિવસઃ આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો

16 વર્ષની ઉંમરે આર્મીમાં જોડાયા

ધ્યાનચંદના પિતા બ્રિટીશ ભારતીય સૈન્યમાં નોકરી કરતા હતા અને તેઓ 16 વર્ષની વયે ભારતીય સૈન્યમાં જોડાયા હતા. અહીંથી જ તેમણે હોકી રમવાનું ચાલુ કર્યું હતું. ધ્યાનચંદ હોકી પ્રત્યે એટલા સમર્પિત થઈ ગયા કે તેમણે રાત્રે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેમને 'ચાંદ' હુલામણું નામ આપવામાં આવ્યું.

રાષ્ટ્રીય રમતગમત દિવસઃ આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો

વિઝાર્ડ

ધ્યાનચંદનું હોકી પ્રત્યેનું સમર્પણ એવું હતું કે, તેઓ મેચમાં ગોલ કરવામાં નિષ્ફળ થયા પછી તેમણે મેચ રેફરી સાથે અપીલ કરી હતી કે, ગોલ પોસ્ટનું માપન ખોટું છે. જ્યારે મેચ રેફરીએ માપનની તપાસ કરી ત્યારે, ગોલ પોસ્ટ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ સૂચિત સત્તાવાર લઘુત્તમ પહોળાઈના ઉલ્લંઘન માટે હોવાનું જણાયું હતું. આમ ધ્યાનચંદ સાચા હતા.

રાષ્ટ્રીય રમતગમત દિવસઃ આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો

ધ્યાનચંદ અને એડોલ્ફ હિટલર

1936ના બર્લિન ઓલિમ્પિક ફાઇનલ દરમિયાન ધ્યાનચંદે 3 ગોલ સાથે સર્વશ્રેષ્ઠ રેકોર્ડ બનાવ્યો હતો અને ભારતીયોએ જર્મનીને 8-1થી હરાવીને સરળતાથી જીત મેળવી હતી. ધ્યાનચંદના અસાધારણ પ્રદર્શનથી પ્રભાવિત, જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરે તેમને જર્મન નાગરિકત્વ અને જર્મન આર્મીમાં કર્નલ પોસ્ટની ઓફર કરી હતી. જો કે, ભારતીય જાદુગરે આ ઓફર નામંજૂર કરી હતી.

રાષ્ટ્રીય રમતગમત દિવસઃ આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો

1932 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ

ધ્યાન ચંદને 1932ની લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમમાં સીધો પ્રવેશ મળ્યો હતો. જ્યારે બાકીના ખેલાડીઓએ જગ્યા સુરક્ષિત કરવા માટે આંતરિક ટુર્નામેન્ટ રમવી પડી હતી. ધ્યાનચંદની આગેવાનીમાં ભારતીય ટીમે જાપાનને 11-1થી હરાવીને ઇવેન્ટની શરૂઆત કરી હતી. ભારતે બીજી મેચ જીતીને ફાઇનલમાં જીત મેળવતા પહેલા ગોલ્ડ ફરી જીત્યો હતો. ઓલિમ્પિક પછી, ટીમ યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લેન્ડ અને અન્ય ઘણા દેશોને આવરી લેતા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર ગઈ હતી. પ્રવાસની સમાપ્તિ સુધીમાં ભારતે 37 મેચમાંથી 34 મેચ જીતી લીધી હતી, જ્યારે ચંદે ભારત દ્વારા 338 ગોલ કરીને 133 સ્કોર બનાવ્યો હતો.

રાષ્ટ્રીય રમતગમત દિવસઃ આઇકોનિક પ્લેયર ધ્યાનચંદ વિશે અહીં 5 રસપ્રદ તથ્યો

ABOUT THE AUTHOR

...view details