નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં સત્તાધારી કોંગ્રેસ સરકાર ફરી એકવાર તેના નિર્ણયને લઈ વિવાદમાં સંપડાઈ છે. કારણ કે, આ સરકારે નસબંધી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ નિર્ણયનો ભારે વિરોધ થયા બાદ તેને રદબાતલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ નિર્ણય 45 વર્ષ પહેલા કટોટકટી સમયની યાદ અપાવે છે. જેમાં મુખ્યપ્રધાન ઈન્દિરા ગાંધીએ સમગ્ર દેશમાં નસબંધી જાહેર કરી હતી.
25 જૂન 1975માં કટોકટી જાહેર કરવામાં આવી હતી. તે દરમિયાન ઘણાં એવા વિંવાદિત નિર્ણયો લેવાયા હતા. જેનો પ્રજા દ્વારા ભારે વિરોધ કરાયો હતો. એમાનો એક સૌથી વિવાદિત નિર્ણય નસબંધીનો હતો. સરકારના મત પ્રમાણે આ નિર્ણય વસ્તી નિયંત્રણ કરવા માટે લેવાયો હતો.
આ અભિયાનની શરૂઆત દિલ્હીથી કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, દેશમાં આશરે 62 લાખ લોકોની નસબંધી કરવામાં આવી હતી. જેમાંથી બે હજાર લોકોના ઑપરેશન દરમિયાન મોત થયા હતા. કહેવાય છે કે, તે સમયે એવી અફવાએ જોર પકડ્યું હતું કે, આ નિર્ણયથી સરકાર મુસ્લિમોની વસ્તીને નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ કાર્યમાં અધિકારીઓ અને કર્માચારીઓને ટારગેટ કરાયા હતાં. જો તેઓ આ કામ કરવાની મનાઈ કરે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવતી હતી.