ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીની પાક.ને ચેતવણી, ખોટા ઇરાદા કામયાબ નહી થાય

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલવામાં CRPFના જવાનોની ગાડી પર આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 43 જવાન શહીદ થયા છે. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સંવેદના પ્રગટ કરતા શહીદોને શ્રદ્ધાંજલી આપી. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેઓ પાકિસ્તાનને તેમના ઇરાદામાં કામયાબ નહી થવા દે.

By

Published : Feb 15, 2019, 1:40 PM IST

YUYUYU

PM મોદીએ કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ એક થઇને લડાઇ લડવી પડશે. તેમણે કહ્યું કે આ ઘટના ખુબ જ સંવેદનશીલ અને ભાવુક છે. સંપુર્ણ દેશ અત્યારે એક સાથે છે. જે લોકોએ આ હુમલો કર્યો છે તેમને આનો જવાબ આપવામાં આવશે, ગુનેગારોને સજા જરુર મળશે.

મારુ દેશવાસીઓ અને બીજી રાજનૈતિક પાર્ટીઓથી અનુરોધ છે કે તેઓ આ મુદ્દાને રાજનીતિથી દુર રાખી આ દુ:ખના સમયે સાથ આપશે.

પાકિસ્તાન એવું સમજે છે કે તેઓ આવા હુમલા કરાવશે અને ભારત ડરી જશે, પરંતુ એવું નથી ભારત ક્યારેય અસ્થિર નહી થાય.

આર્થિક સમસ્યાઓથી લડી રહેલુ પાકિસ્તાન એટલું સમજીલે કે તે પોતાના ઇરાદાઓમાં કામયાબ નહી થાય.


ABOUT THE AUTHOR

...view details