ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દીદી જય શ્રીરામના નારા પર મારી ધરપકડ કરી બતાવે: વડાપ્રધાન મોદી

ન્યૂઝ ડેસ્ક: સોમવારે વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર બરાબરના પ્રહારો કર્યા હતાં. વડાપ્રધાને અહીં ચેતવણી આપતા કહ્યું હતું કે, મમતા જય શ્રીરામના નારા પર મારી ધરપકડ કરી બતાવે.

By

Published : May 6, 2019, 7:03 PM IST

ians

હાલમાં એક દિવસ પહેલા બંગાળના ઘટાલ લોકસભામાં મમતાનો કાફલો જઈ રહ્યા હતો તે દરમિયાન અમુક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જયશ્રી રામના નારા લગાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

વડાપ્રધાન અહીં કટાક્ષ કરતા કહ્યું કે, દીદી જયશ્રી રામ બોલવા પર જેલમાં મોકલી દે છે તો હું પણ આજે જયશ્રી રામ બોલ્યો છું, તો શું મને પણ જેલમાં મોકલી દેશે.

વડાપ્રધાન મોદીએ અહીં માકપાના મહાસચિવ સીતારામ યેચૂરી પર પણ પ્રહારો કર્યા હતાં.

આપને જણાવી દઈએ કે, હાલમાં યેચૂરીએ રામાયણ અને મહાભારતના ઉદાહરણો લઈ હિંસાનો ઉલ્લેખ કર્યો હતો.

યેચૂરીએ કહ્યું હતું કે, રામાયણ અને મહાભારત હિંદુ હિંસાથી ભરપૂર છે.

જેને લઈ વડાપ્રધાને કહ્યું હતું કે, હિંદું ધર્મ વિરુદ્ધ અપમાનજનક ભાષા વાપરવી વામપંથીઓની આદત બની ગઈ છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, બંગાળમાં દીદી 10 સીટ પણ નહીં જીતે.

ABOUT THE AUTHOR

...view details