ગુજરાત

gujarat

By

Published : Apr 8, 2019, 9:30 AM IST

ETV Bharat / bharat

ટેરર ફંડિંગ કેસમાં NIA સામે હાજર થશે અલગાવાદી નેતા મીરવાઇજ

શ્રીનગર: અલગાવાદી નેતા મીરવાઇજ ઉમર ફારૂક આંતકિઓને રૂપિયા આપવાની એક બાબાત સાથે સંકળાયેલો છે જેથી પૂછપરછ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA સમક્ષ દિલ્હીમાં સોમવારે તે હાજરી આપશે.

ફાઇલ ફોટો

NIA હાલમાં જ મીરવાઇજને ત્રીજી નોટિસ ફટકારી હતી. જેમાં તેમને દિલ્હી ખાતે એજંન્સી સામે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો. આ અગાઉ NIA દ્વારા મોકલવામાં આવેલી નોટિસના જવાબમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીની મુલાકાત દરમિયાન સુરક્ષા બાબાતે ચિંતા વ્યકત કરી હતી.

મીરવાઇજના નેતૃત્વ વાળી હુરિર્યત સમુહના પ્રવક્તાએ કહ્યું કે મીરવાઇજ પૂછપરછ માટે દિલ્હી જશે તથા પ્રોફેસર અબ્દુલ ગની ભટ્ટ, બિલાલ ગની લોન તથા મસરૂર અંસારી સહિત હુરિયત કાર્યકારિણીના સભ્ય તેમની સાથે હશે.

ABOUT THE AUTHOR

...view details