ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LBAના સભ્યોએ શહીદ થયેલા સેનાના જવાનોને આપી શ્રદ્ધાંજલિ

20 ભારતીય સેના જવાનો શહીદ થયા તે બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ લેહના પ્રમુખ તેરસિંગ નામગિલે વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાનને અનુલક્ષીને જણાવ્યું કે, દેશની જનતાને તમારે જણાવવું કે, આ કટોકટી અંગે સરકારનો જવાબ શું છે. ચીનીઓએ કઇ પેટ્રોલિંગ પોઇન્ટ કબ્જે કર્યો છે. જે ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. LBAના સભ્યોએ સેના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

By

Published : Jun 17, 2020, 8:56 PM IST

લદ્દાખ બૌદ્ધ એસોસિએશન
લદ્દાખ બૌદ્ધ એસોસિએશન

લદ્દાખઃ કોરોના વાઇરસના કહેરને કારણે જાહેર હિલચાલ પર પ્રતિબંધ વચ્ચે બુધવારે લેહની સોનમ નારબુ મેમોરિયલ હોસ્પિટલ(SNM હોસ્પિટલ) અસામાન્ય પ્રવૃત્તિથી વ્યથિત હતી. SNM હોસ્પિટલમાંથી સેના જવાનોના મૃતદેહો લાવવામાં આવ્યા હતા. જેમને કેન્દ્રશાસિત પ્રદેશોના ચાંગથાંગ વિસ્તારમાં ગેલવાન ખીણમાં ચીની સેના જવાનો સાથેના ઘર્ષણમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

લેહ સ્થિત XIV કોર્પ્સના મુખ્ય મથકથી સંબંધિત નગરોમાં લહેરાતા પહેલા ડેડ બોડીને પોસ્ટ મોર્ટમની ફોર્માલીટીસ માટે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. SNM હોસ્પિટલના ડૉકટરે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, તેઓએ હોસ્પિટલમાં 6 સેના જવાનોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત જવાનોને જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી.

LBAના સભ્યોએ સેના જવાનોને આપી શ્રદ્ધાંજલિ

બુધવાર રાત્રે થયેલા ઘર્ષણમાં ચીની સેના જવાનોએ 20 ભારતીય સેના જવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ જવાનો ડી-એસ્કેલેશનની વ્યવસ્થાને પગલે ગાલવાન ખીણના વિવાદિત વિસ્તારમાં પહોંચ્યા હતા.

મે મહિનાની શરૂઆતથી ચીની અને ભારતીય સેના જવાનો આ ક્ષેત્રમાં ચક્કર લગાવી રહ્યા છે. જ્યારે ચીની સેના જવાનોએ ભારતીય સેના દ્વારા સંચાલિત અનેક વિસ્તાર પર કબ્જો કર્યો હતો.

સંઘપ્રદેશના પ્રભાવશાળી ધાર્મિક જૂથ લદ્દાખ બૌદ્ધ એસોસિએશન (LBA)ના સભ્યોનું જૂથ અહીં માર્યા ગયેલા સેના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. શબપેટીઓ પર પથારી મૂકવા માટે તેઓ સફેદ કાપડ રાખતા હતા, જેને સ્થાનિક લોકો ખટક તરીકે ઓળખવામાં આવે છે.

LBAના પ્રમુખ પી. ટી. કુંઝંદે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, લદ્દાખી લોકોએ હંમેશાં કઠિન પરિસ્થિતિઓમાં ભારતીય સેનાને ટેકો આપ્યો છે. હવે સમય આવ્યી ગયો છે કે, ભારત સરકાર ચીન સામે આક્રમકતા પગલાં લે.

ભારત સરકારે કડક પગલા ભરવા જ પડશે જેથી અમારી સેનાનું મનોબળ વધુ રહે. આ મુદ્દે હસ્તક્ષેપની જરૂર છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ લેહના પ્રમુખ તેરસિંગ નામગિલે જણાવયું કે, ભારત સરકારે ચીનને જવાબ આપવા માટે સરહદની વ્યૂહરચના પર પુનઃવિચાર કરવો જોઇએ. પાછા ફરવાની કોઈ તક નથી. ચાઇનીઝ જે પણ જમીન પર કબ્જો કરે છે, તેઓએ ખાલી કરવું જ પડે. જો તેઓ શાંતિપૂર્ણ ભાષા ન સમજે તો તેમને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.

જિલ્લા કોંગ્રેસ સમિતિ લેહના પ્રમુખ તેરસિંગ નામગિલે વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાનને અનુલક્ષીને જણાવ્યું કે, દેશની જનતાને તમારે જણાવવું કે, આ કટોકટી અંગે સરકારનો જવાબ શું છે. ચીનીઓએ કઇ પેટ્રોલિંગ પોઇન્ટ કબજે કર્યો છે. તે ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.

ABOUT THE AUTHOR

...view details