ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બસપા સુપ્રીમો માયાવતી લોકસભા ચૂંટણી નહીં લડે

ન્યૂઝ ડેસ્ક: બસપા સુપ્રીમો માયાવતીએ આજે એક પ્રેસ કોન્ફરસ કરી જાહેરાત કરી હતી કે તેઓ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે, તેમણે કહ્યું હતું કે, 'હું ગમે ત્યારે ચૂંટાઈને સંસદમાં જઈ શકું છું'

ફાઈલ ફોટો

By

Published : Mar 20, 2019, 8:23 PM IST

Updated : Mar 20, 2019, 9:04 PM IST

બસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યું હતું કે, હું હાલ લોકસભા ચૂંટણી નહીં લડું, હજુ પછાત વર્ગ માટે લડવાનું બાકી છે અને સમગ્ર યુપી પર ધ્યાન કેન્દ્રીત કરવાનું બાકી હોવાથી ચૂંટણી નહીં લડું. તેમણે વધુમાં કહ્યું કે, યુપીમાં ગઠબંધનને જીતવું વધારે જરૂરી છે. તે ઘણું મહત્વપૂર્ણ છે. રાજકારણમાં ઘણી વાર કડવા ઘૂંટળા પીવા પડે છે અને કડક લાગતા નિર્ણયો પણ લેવા પડે છે. અત્યારે હાલ દેશહિત અને પાર્ટીમાં હલચલને ધ્યાને રાખી આ નિર્ણય કર્યો છે. પણ જો ચૂંટણી પછી અવસર મળશે તો જોયુ જશે.

આપને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા એક સાથે ચૂંટણી લડી રહ્યા છે.

Last Updated : Mar 20, 2019, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details