નવી દિલ્હીઃ કોરોનાથી જોડાયેલા મુદ્દાઓ પર વાત કરવા માટે મુખ્યપ્રધાન કેજરીવાલે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ સાથે જ સામાન્ય લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા 180 કેસ નોંધાયા હતા અને પછી એક દિવસમાં થયેલા 300 કેસના નોંઘાયા હતા. આ કેસ બાદ કરતાં જોઈએ તો છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોના ગ્રાફમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
શનિવારે 2274 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 67 લોકોને કોરોના પોઝિટીવ નીકળ્યો હતો. આ પરથી સાબિત થાય છે કે, કોરોનાની ગતિ હવે ધીમી થઈ રહી છે.
કર્મચારીના મોત પર એક કરોડ...
પત્રકાર પરિષદમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે, થોડા દિવસો પહેલા અમે નિર્ણય લીધો હતો કે, જો કોઈ ડોક્ટર, નર્સ, લેબ ટેકનિશિયન, મેડિકલ સ્ટાફ અથવા સેનિટેશન વર્કર કોરોના ચેપને લીધે મૃત્યુ પામે છે, તો આપણે સન્માન તરીકે એક કરોડ રૂપિયા આપીશું. હવે આપણે જોઈ રહ્યા છીએ કે, અન્ય લોકો પણ, પોલીસ, નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો અથવા શિક્ષક-આચાર્યો, પણ કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો તેઓને આ હુકમમાં કોરોના છે અને કોઈનું મોત થાય છે, તો દિલ્હી સરકાર આ તમામ કર્મચારીઓને એક કરોડ રૂપિયાનું માનદ પણ આપશે.