ગુજરાત

gujarat

By

Published : Apr 19, 2020, 9:59 PM IST

ETV Bharat / bharat

કેદારનાથ પહોંચ્યા રાવલ ભીમા શંકર, એકાંતમાં રહેશે

કેદારનાથના રાવલ ભીમા શંકર લિંગ ઉખીમથ પહોંચ્યા છે. હમણાં સુધી રાવલ પોતાના સેવકો સાથે કેદારનાથ એકાંતમાં રહેશે.

kedarnath
kedarnath

ઉત્તરાખંડ: કેદારનાથના જગતગુરુ રાવલ ભીમાશંકર લિંગ મહાસ્વામી કેદારનાથની શિયાળી ગાદી ઉખીમથ પહોંચ્યા છે. તેઓ ઉખીમથમાં ક્વોરનટાઈન રહેશે. તેમણે કહ્યું કે, હું મારા સેવકો સાથે મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત આશ્રમમાં રોકાયો હતો. ત્યાંથી ચાલતા પહેલા તેની તંદુરસ્ત પરીક્ષણ કરાઈ હતી અને આશ્રમ પહોંચ્યા પછી પણ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલ તો રાવલ ભીમાશંકર લિંગા અને તેમના સેવકોની તબિયત સારી છે.

ભગવાન કેદારનાથના કપાટ 29 એપ્રિલના રોજ ખોલવામાં આવશે અને આ વખતે કોરોના વૈશ્વિક રોગચાળાને કારણે ગણતરીના ભક્તો જ ધામમાં ઉપસ્થિત રહેશે. 25 એપ્રિલની રાત્રે ભૈરવનાથની શિયાળુ ગાદી પર પૂજા કરવામાં આવશે. ડોલી 26 એપ્રિલે કેદારનાથ જવા રવાના થશે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ બાબા કેદારના દરવાજા રાવલની હાજરીમાં ખોલવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details