ગુજરાત

gujarat

By

Published : Apr 26, 2020, 12:17 AM IST

ETV Bharat / bharat

કર્ણાટકમાં કોરોનાના 26 નવા કેસ, કુલ આંક 500ને પાર

કર્ણાટકમાં શનિવારે એક પત્રકાર સહિત કોરોના વાઈરસના 26 કેસ નોધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 500ના પાર પહોંચી છે.

Etv Bharat
coronavirus

બેંગલુરુ: કર્ણાટકમાં શનિવારે એક પત્રકાર સહિત 26 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 500 થઈ ગઈ છે. આ માહિતી રાજ્ય સરકારે આપી છે.

આરોગ્ય વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે, 25 એપ્રિલ સુધી રાજ્યમાં કોવિડ -19ના 500 જેટલા કેસ નોંધાયા છે. તેમાંથી 18 દર્દીઓના મોત થયા છે અને 158ને રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કોરોના વાયરસથી 500 લોકો સંક્રમિત છે, જેમાંથી 317ઓને એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે અને સાત આઈસીયુમાં છે.

ABOUT THE AUTHOR

...view details