ગુજરાત

gujarat

શ્રીનગરમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો, 3 આતંકી ઠાર, ASI શહીદ

By

Published : Aug 30, 2020, 10:33 AM IST

Updated : Aug 30, 2020, 11:06 AM IST

શ્રીનગરમાં પોલીસ અને CRPFની ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ અથડામણમાં ત્રણ આતંકી ઠાર અને એક ASI શહીદ થયા છે.

srinagar
શ્રીનગર

શ્રીનગર: આતંકીઓએ શ્રીનગરના પંથ ચોકમાં પોલીસ અને CRPFના જવાનો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષાદળો નાકાબંધી પસાર થઈ રહેલા વાહનો ચેક કરી રહ્યાં હતાં, ત્યારે આતંકીઓએ ફરી હુમલો કર્યો હતો.

આ હુમલા બાદ અથડામણ શરૂ થઈ હતી. જેમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે. આ દરમિયાન ASI બાબૂ રામ શહીદ થયા છે. જાણવામાં આવી રહ્યું છે કે, જ્યારે સુરક્ષાદળો વાહનોનું ચેકિંગ કરી રહ્યાં હતા, ત્યારે આતંકીઓએ સુરક્ષાદળો પર ફરી ફાયરિંગ શરૂ કર્યું હતું.

આ અથડામણમાં ત્રણ આતંકી અને એક ASI બાબૂ રામ શહીદ થયા છે. હાલ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

Last Updated : Aug 30, 2020, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details