શ્રીનગર: આતંકીઓએ શ્રીનગરના પંથ ચોકમાં પોલીસ અને CRPFના જવાનો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષાદળો નાકાબંધી પસાર થઈ રહેલા વાહનો ચેક કરી રહ્યાં હતાં, ત્યારે આતંકીઓએ ફરી હુમલો કર્યો હતો.
આ હુમલા બાદ અથડામણ શરૂ થઈ હતી. જેમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે. આ દરમિયાન ASI બાબૂ રામ શહીદ થયા છે. જાણવામાં આવી રહ્યું છે કે, જ્યારે સુરક્ષાદળો વાહનોનું ચેકિંગ કરી રહ્યાં હતા, ત્યારે આતંકીઓએ સુરક્ષાદળો પર ફરી ફાયરિંગ શરૂ કર્યું હતું.
આ અથડામણમાં ત્રણ આતંકી અને એક ASI બાબૂ રામ શહીદ થયા છે. હાલ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
Last Updated : Aug 30, 2020, 11:06 AM IST