ગુજરાત

gujarat

By

Published : Apr 20, 2020, 5:22 PM IST

ETV Bharat / bharat

કોરોના ટેસ્ટ માટે મૌલાના સાદને નિર્દેશ, પોલીસ ટેસ્ટ પછી પૂછપરછ કરી શકશે

ક્રાઇમ બ્રાંચે હવે વકીલ દ્વારા મૌલાના સાદને તેની કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે. આ પછી ક્રાઇમ બ્રાંચની ટીમ તેમનાથી પૂછપરછ કરશે.

કોરોના ટેસ્ટ માટે મૌલાના સાદને નિર્દેશ, પછી પૂછપરછ કરવામાં આવશે
કોરોના ટેસ્ટ માટે મૌલાના સાદને નિર્દેશ, પછી પૂછપરછ કરવામાં આવશે

નવી દિલ્હી: નિઝામુદ્દીન સ્થિત મારકજથી ફેલાયેલી કોરોના પર એફઆઈઆર નોંધાયાના 20 દિવસ વીતી ગયા છે. પરંતુ મૌલાના સાદ હજી સુધી ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામેલ થયા નથી. ક્રાઇમ બ્રાંચે હવે વકીલ દ્વારા મૌલાના સાદને તેમને કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે.તપાસનો રિપોર્ટ આવ્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ તેમનાથી પૂછપરછ કરશે.

મળતી માહિતી મુજબ નિઝામુદ્દીન સ્થિત મારકજથી 2361 જમાતીઓને બહાર લેવામાં આવી હતી. તેમાંથી 1100 થી વધુ કોરોના પોઝિટિવ નિકળયા હતા. જોકે કેટલાક જમાતીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ બનાવ અંગે ક્રાઈમ બ્રાંચે 31 માર્ચે એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆરમાં મારકજના વડા મૌલાના સાદ સહિત સાત લોકો પર આરોપ લગવાવમાં આવ્યા હતા. આ એફઆઈઆર નોંધાયા બાદ મૌલાના સાદ સેલ્ફ-કોરોન્ટાઈન થયા છે.

મૌલાના સાદે 14 એપ્રિલના રોજ પોતાનો કોરોન્ટાઈન સમય પૂર્ણ કર્યું હતું. પરંતુ તે હજી પોલીસ તપાસમાં હાજર થયા નથી. તપાસમાં જોડાતા પહેલા તેમણે ક્રાઇમ બ્રાંચને એક પત્ર લખીને એફઆઈઆરની નકલ માંગી હતી. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે મૌલાના સાદને તેની કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે.આ ટેસ્ટની રિપોર્ટ આવ્યા પછી જ ક્રાઇમ બ્રાંચની ટીમ તેમની વધુ પૂછપરછ કરશે. જો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે તો ક્રાઇમ બ્રાંચ તેમના સ્વ્સ્થ્ય થવા સુધીની રાહ જોશે.

મારકજ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે મૌલાના સાદ સહિત 18 લોકોને પૂછપરછ માટે નોટિસ ફટકારી હતી. તેમાંથી મૌલાના સાદના ત્રણ પુત્રો સહિત 17 લોકોની ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. તે જ સમયે, મૌલાના સાદ ન તો પોલીસ સમક્ષ હાજર થયા છે અને ન સંતોષકારક જવાબો આપે છે. બીજી તરફ, મૌલાના સાદના વકીલનો દાવો છે કે તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે.

ABOUT THE AUTHOR

...view details