ગુજરાત

gujarat

By

Published : Jun 27, 2020, 7:50 AM IST

ETV Bharat / bharat

સરકારે કોંગ્રેસ પર આંગળી ચિંધતા પહેલા ચીન પર પલટવાર કરવો જોઈએઃ અધીર

કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, સરકારે કોંગ્રેસ પર આગળી ચિંધતા પહેલા ચીન પર પલટવાર કરવો જોઈએ અને ગલવાન ઘાટી પર ગુમાવેવા ક્ષેત્રોને પરત મેળવવા જોઈએ.

સરકારે કોંગ્રેસ પર આંગળી ચિંધતા પહેલા ચીન પર પલટવાર કરવો જોઈએઃ અધીર
સરકારે કોંગ્રેસ પર આંગળી ચિંધતા પહેલા ચીન પર પલટવાર કરવો જોઈએઃ અધીર

કોલકાતાઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, સરકારે પોતાની રણનીતિક ભૂલ છૂપાવવા માટે વિપક્ષી દળ પર પ્રહાર કરતાં પહેલા ચીનને જવાબ આપવો જોઈએ અને ગલવાન ઘાટીમાં ગુમાવેલા ક્ષેત્રોને પરત મેળવવા જોઈએ.

સરકારે કોંગ્રેસ પર આંગળી ચિંધતા પહેલા ચીન પર પલટવાર કરવો જોઈએઃ અધીર

ચૌધરીએ ભાજપા નેતૃત્વને આરોપ સાબિત કરવાનો પડકાર આપતા કહ્યું હતું કે, કોગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ક્યારેય પણ સમાધાન કર્યું નથી. અધીર રંજને કહ્યું કે, જો આરોપ સાબિત થશે તો હું સાંસદ પદેથી રાજીનામુ આપી દઈશ.

ચૌધરીએ કહ્યું હતું કે,ભાજપ પોતાની ભૂલ અને હિમાલય અંગે લેવાયેલા રાજકીય નિર્ણયની નિષ્ફળતાને છૂપાવવા માટે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરી રહી છે. ભાજપને ઈતિહાસ પ્રત્યે કોઈ સન્માન નથી અને જો હોત તો તેમને ક્યારેય પણ ચીન સાથે સમાધાન કરવાનો નિર્ણય લીધો ન હતો.

તેમણે કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં આ કોંગ્રેસ પાર્ટી હતી જેણે ઓપરેશન મેઘદૂત દ્વારા 1984માં સિયાચિનને હાંસલ કર્યો હતો. એ કોંગ્રેસ જ હતી જેણે પાકિસ્તાનને વિભાજિત કરીને 1971માં બાંગ્લાદેશને જન્મ આપ્યો હતો.

ચૌધરીએ ભાજપ સામે પડકાર ફેંકતા કહ્યું હતું કે, જો કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કર્યુ હોય, તો તેઓ સાબિત કરે અને જો તેઓ સાબિત કરશે તો હું રાજીનામુ આપી દઈશ.

ચૌધરીએ કહ્યું કે, રાષ્ટ્રીય મંચ પર કરો યા મરોનો મંત્ર હોવો જોઈએ અને ચીનને વળતો જવાબ આપવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details