વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગુરુ નાનક દેવના 550માં પ્રકાશ પર્વના પાવન પ્રસંગે કરતારપુર કોરિડોર ખોલવા માટે સરકારે પગલાં ભર્યાં છે. જેથી ભારતના શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીય કાર્ડ રાખનાર લોકો પાકિસ્તાનમાં પવિત્ર ગુરુદ્વારા કરતારપુર સાહિબની યાત્રા કરી શકે.
મંત્રાલયે કહ્યું કે, આ નિરાશાકજનક વાત છે કે, ભારતના શ્રદ્ધાળુઓની યાત્રાને સુવિધાજનક બનાવા માટે ઘણા મુદ્દાઓ પર સહમતિ બની છતાં, પાકિસ્તાન તીર્થયાત્રીઓ દીઠ 20 ડોલર સેવા ફી લગવવા પર જોર આપી રહ્યું છે.