ઇન્ફોસિસના પૂર્વ નાણાંકીય અધિકારી મોહનદાસે ભારતની બેરોજગારીની સમસ્યા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "ભારતમાં સારી નોકરીઓ ક્રિએટ નથી થઇ રહી, જો કે 10,000 થી 15,000 રૂપિયાના વેતન પર નોકરીઓ ઘણી છે. પણ તે ડિગ્રી હોલ્ડર કેન્ડીડેટ્સ માટે તે ઓછી આકર્ષક હોય છે. જેથી ભારતમાં માત્રને માત્ર વેતનની જ સમસ્યા છે રોજગારીની નહી"
આ અંગે પઇએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ક્ષેત્રિય અને ભૌગોલિક સમસ્યાઓ પણ છે, ભારતે ચીનની માફક શ્રમ વાહક ઉદ્યોગો સ્થાપવા જોઇએ અને શોર્સની નજીકના મૂળભૂત સ્ટ્રક્ચરનો વિકાસ કરવો જોઇએ. તો આ સાથે જ મોહનદાસે વધુમાં જણાવ્યું કે, રિસર્ચ અને વિકાસમાં વધુમાં વધુ રોકાણ કરવું જોઇએ. આપણે ચીન પાસેથી શિખવું જોઇએ, ચીને શું કર્યુ, તેઓઅ શ્રમ આધારિત ઉદ્યોગોની શરૂઆત કરી, જે બાદ તેને દુનિયાને આમંત્રણ આપ્યું અને તેમના શ્રમ બળનો ઉપયોગ કરવા માટે કહ્યું, અને નિકાસ ઉદ્યોગ શરૂ કર્યો"