આ જાહેરાત પછી પાકિસ્તાની મીડિયામાં ટ્રમ્પની હાજરીને નાટક ગણાવાય રહી છે. કારણ કે, ટ્ર્મ્પે આ કાર્યક્રમમાં ભાગ લઈ એ સંદેશ આપવાની કોશિશ કરી છે કે, ભારત અને અમેરિકા વચ્ચેનો સબંધ નવી ઉંચાઈએ પહોંચ્યો છે.
અમેરિકાના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એવું બની રહ્યુ છે કે, કોઈ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અમેરિકામાં કાર્યક્રમ હોય અને તેમાં અમેરિકાના પ્રમુખે ભાગ લીધો હોય. વિદેશ નીતિની દ્રષ્ટિએ આ ખુબ જ સમજી વિચારીને લેવાયેલો નિર્ણય ગણાય છે. આ નિર્ણય પાછળ અમેરિકાને કૂટનીતિને સમજવાની જરૂર છે.
દક્ષિણી ચીન સાગરમાં ચીને પોતાનું વર્ચસ્વ વધારીને અમેરિકા સહિતના કેટલાક દેશોના સ્થાપિત હિતોને પડકાર્યા છે. ચીને દક્ષિણ ચીન સાગરના મોટાભાગના વિસ્તાર સહિત વિયતનામ અને ફિલીપિન્સ જેવા નાના દેશોના દરિયાકાંઠા પર પોતાનો હક્ક-દાવો કર્યો છે.
બીજી તરફ છેલ્લા એક વર્ષથી અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક યુદ્વ ચાલી રહ્યુ છે. ટ્રમ્પે ચીનમાં રહેલી અમેરિકાની કંપનીઓને પણ અનુરોધ કર્યો છે કે તેઓ કંપની બંધ કરીની અમેરિકા પરત આવી જાય અથવા અન્ય કોઈ દેશમાં વેપારની તક શોધે.
પ્રશાંત મહાસાગર અને અરબ સાગરમાં ચીની નૌકાદળની વધતી ગતિવિધિઓ ઉપર અમેરિકા,જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત માટે ચિંતાનો વિષય છે. એટલે જ અમેરિકાએ એશિયા-પેસિફિક ના બદલે ઈંડો પેસિફિક સમુદ્ર સુરક્ષાની વાત મુકી છે. જેમાં ચીનની નૌસેનાનો પ્રભાવ ઘટાડવામાં ભારતીય નૌકાદળની મહત્વની ભૂમિકા છે. આ ચાર દેશો વચ્ચે ચાલી રહેલા વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસને પણ આ દ્રષ્ટિએ જોવું જોઈએ.
આ મામલે વિદેશપ્રધાન એસ.જયશકંરની ટિપ્પણી નોંધનીય છે. તેમણે કહ્યુ હતું કે, "વ્યાપાર યુદ્વ હંમેશા ખરાબ નથી હોતું. જો તેનાથી વેપારમાં સંતુલન જળવાતું હોય તો તે સારી બાબત છે. આ સીધો સંકેત હતો કે વેપાર અને અન્ય મુદ્દાઓ પર તેમની સાથેનો સબંધ ઘટી રહ્યો છે. જો કે. આ નિવેદનનો એ મતલબ પણ ન કાઢી શકાય કે ભારત ચીન વિરોધી સૈન્ય સમુહનો હિસ્સો છે."