ઉત્તરાખંડમાં બાગેશ્વરની દેવભૂમિની પ્રાકૃતિક સુંદરતા હંમેશા લોકોને પોતાની તરફ આકર્ષિત કરતી રહી છે. જેનાથી મહાત્મા ગાંધી પણ બચી શક્યાં નહોતા. અહીં કૌસાની નામના સ્થળની સુંદરતા અને શાંતિએ ગાંધીજીને ખૂબ પ્રભાવિત કર્યા હતાં. બાપુએ 1929માં કૌસાનીના લાલ બંગલામાં 2 અઠવાડિયા ગાળ્યા હતાં. આ સમય દરમિયાન બાપુએ 'અનાસક્તિ યોગ' પર એક પુસ્તક લખ્યું હતું. આજે આ સ્થળને ગાંધીજીના અનાસક્તિ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં આશ્રમના એક ભાગમાં સંગ્રહાલય પણ છે.
એવું કુદરતી સૌંદર્યથી જેનાથી ગાંધીજી પણ મોહિત થયા હતા
ન્યૂઝ ડેસ્કઃ આપણો દેશ ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવી રહ્યો છે, ત્યારે આ ઉજવણીના ભાગરૂપે ઇટીવી ભારત 2 ઓક્ટોબર સુધી દરરોજ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા જુદા-જુદા પાસાઓની ચર્ચા કરી રહ્યું છે. અમે દરરોજ ગાંધીજીના જીવન સાથે સંબંધિત રસપ્રદ તથ્યો દરરોજ વિવિધ ઐતિહાસિક સ્થળો વિશે વાત કરીએ છીએ. આજે આપણે એવા વિશે વાત કરીશું જ્યાં બાપુએ 'અનાસક્તિ યોગ' પર પુસ્તક લખ્યું હતું.
હિમાલયની ગોદમાં વસેલા કૌસાનીના કણ-કણમાં સુંદરતા પથરાયેલી છે. અહીંની લીલોતરી અને શાંત વાતાવરણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. મહાત્મા ગાંધીજી પણ અહીં 14 દિવસ રહ્યા અને તે સમય દરમિયાન ગાંધીજીને હિમાલયની વાદીઓમાં રહેવાનો મોંકો મળ્યો હતો. જ્યાં બાપુએ અનાસક્તિ યોગ પર પુસ્તક લખ્યું, અહીં આજે પણ દેશ-વિદેશના પર્યટકો આવતા રહે છે. કહેવાય છે કે, પોતાની યાત્રા દરમિયાન ગાંધીજીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. જેથી એ સમયે ગાંધીજીએ કૌસાનીને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહ્યું હતું.
કહેવાય છે કે, ગાંધીજી જ્યાં રહ્યા હતા એ બંગલો સ્મારક નીધિને સોંપવામાં આવ્યો હતો. જે આજે ગાંધી વિશ્રામ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. આ સ્થળનું નામ ગાંધી અનાસક્તિ આશ્રમ રાખવામાં આવ્યું છે. આ સ્થળને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં બાપુના જીવનને લગતી અનેક વસ્તુઓ સગ્રહિત કરવામાં આવી છે. જેથી કૌસાનીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ સંગ્રહાલયની મુલાકાત લેવાનું ચૂકતા નથી.