ગુજરાત

gujarat

ફાનીથી પ્રભાવિત ખેડૂતો અને માછીમારોને કરાશે 1600 કરોડની સહાય

By

Published : May 12, 2019, 4:28 PM IST

ભુવનેશ્વર: ઓડિશા સરકારે વાવાઝોડા ફાનીથી પ્રભાવિત ખેડૂતો અને માછીમારો માટે 1600 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે.

ફાઇલ ફોટો

ઓડિશા સરકારે વાવાઝોડાથી પ્રભાવિત ખેડૂતો તથા માછીમારો માટે 1600 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન નવીન પટનાયકે પેકેજની જાહેરાત કરી છે. જેમાં પશુપાલન, મત્સ્યપાલન જેવા ક્ષેત્રથી જોડાયેલા લોકો માટે જાહેરાત કરી છે.

તેમણે ચક્રવાતથી પ્રભાવિત લોકોને મદદ મળી રહે તે હેતુથી પોર્ટલ પણ ચાલુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ ચક્રવાતી તોફાન ફોની ઓડિશામાં આવ્યો હતો. જેમાં 43 લોકોના મોત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details