ગુજરાત

gujarat

યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, એક ડઝનથી વધુ નવા ચહેરા સામેલ

લખનઉ: ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળનું આજે પ્રથમ વિસ્તરણ લખનઉના રાજભવનમાં જાહેર થયું છે. આ વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓ જોવા મળ્યા હતાં. જેમા 6 કેબિનેટપ્રધાન, 6 રાજ્યકક્ષાના પ્રધાન( સ્વતંત્ર હવાલો ) અને 11 રાજ્યપ્રધાનોએ શપથ લીધા છે. જ્યારે પૂર્વ 4 મંત્રીઓને કેબિનેટપ્રધાન બનાવ્યા છે. 4 રાજ્યપ્રધાનને (સ્વતંત્ર હવાલો) પ્રમોશન આપીને રાજ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. એક રાજ્યપ્રધાનને પ્રમોશન આપીને રાજ્યપ્રધાન (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે.

By

Published : Aug 21, 2019, 5:11 PM IST

Published : Aug 21, 2019, 5:11 PM IST

twitter

ડો. મહેન્દ્રસિંહ, સુરેશ રાણા, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભાર, રાજ નરેશ અગ્નિહોત્રી, કમલ રાની વરૂણે કેબિનેટ પ્રધાનના શપથ લીધા હતાં. જ્યારે નીલકંઠ તિવારી, કપિલ દેવ અગ્રવાલ, સતીશ ત્રિવેદી,અશોક કટારીયા, શ્રીરામ ચૈહાન અને રવીન્દ્ર જાયસવાલે રાજ્યપ્રધાનના ( સ્વતંત્ર હવાલો ) શપથ લીધા છે.

રાજ્યપ્રધાન અનિલ શર્મા, મહેશ ગુપ્તા, આનંદ સ્વરૂપ શુક્લ, વિજય કશ્યપ, ડો. ગિરિરાજ સિંહ રાજપૂત, નીલિમા કટિયાર, ચૌધરી ઉદયભાન સિંહ, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય,રમા શંકર સિંહ પટેલે શપથ લઈ લીધા છે.

આ અગાઉ યોગી સરકારના મંત્રીમંડળના વિસ્તરણના બરાબર એક દિવસ પૂર્વે જ સરકારમાંથી 4 પ્રધાનોએ રાજીનામાં આપી દીધા હતાં.

ABOUT THE AUTHOR

...view details